બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 06:51 PM, 22 July 2023
ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પગલે રોગચાળો વકરતો હોય છે. આવી સ્થિતિ વચ્ચે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સૌથી અગત્યની બાબત બની જતી હોય છે. ચોમાસાની ઋતુમાં ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડવાને લઈને રોગચાળો માથું ઊંચકે છે. ત્યારે જેથી સ્વાસ્થ્ય પ્રત્યે જોખમકારક ખોરાક ટાળવો જોઈએ અને સતર્ક રહેવું જોઈએ. ચોમાસાની ઋતુમાં જો તમે લોટને ગૂંથીને ફ્રિજમાં રાખી દીધા બાદ તેનો ફરીથી ઉપયોગ કરો છો તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. આવું કરવાથી પરિવારના સભ્યો માંદગીમાં સપડાતા હોય છે.
એસીડીટી અને કબજિયાત સહિતની ફરિયાદ
ઘણી વખત લોટમાં પાણી મિશ્રિત કરી લોટને બાંધી લીધા બાદ તે બગડે નહીં તે માટે ફ્રીજમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વરસાદની સિઝનમાં લોટમાં બેક્ટેરિયા થવાની શક્યતા વધતી હોય છે અને કેટલાક બેક્ટેરિયા એવા છે જે ફૂડ પોઈઝનીંગ થવાની ભીતિ જન્માવે છે. આ ઉપરાંત એસીડીટી અને કબજિયાત સહિતની ફરિયાદ પણ ઉઠતી હોય છે.
બેક્ટેરિયાની સંખ્યા વધવાની શક્યતા
સંશોધનમાં કરાયેલા દાવા અંગે વાત કરવામાં આવે તો નીચા તાપમાનને પગલે બેક્ટેરિયાની સંખ્યા વધવાની શક્યતા રહે છે. વરસાદી ઋતુમાં લિસ્ટેરિયા મોનોસાયટોજીન્સ નામના બેક્ટેરિયા ગંભીર રોગોનું કારણ બનતા હોય છે. જે નીચા તાપમાને પણ આસાનીથી ઉદભવી શકે છે આથી ફ્રિજમાં સ્ટોર કરેલી વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તેને વ્યવસ્થિત સાફ કરવી જોઈએ.
ગેસ, એસિડિટીની થઇ શકે છે સમસ્યા
ફ્રિજમાં 10 થી 12 કલાક સુધી રાખવામાં આવતા લોટમાં બેક્ટેરિયા બને છે જે એક પ્રકારનું ઝેર ઉત્પન્ન કરે છે. તેના ઉપયોગથી આંતરડામાં ખૂબ મોટાપાયે નુકસાન કરે છે.પરીણામે એસીડીટી થવાનો ડર અને પેટ સંબંધિત અન્ય સમસ્યા થવાનું જોખમ વધે છે. તાજા લોટની રોટલી અને વાસી લોટની રોટલી નો માત્ર સ્વાદમાં જ ફર્ક નહિ પરંતુ પોષણમાં પણ ફર્ક પડે છે અને પોષણ ન મડવાને કારણે શરીર રોગનું ઘર બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh