બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / Director Om Raut is giving advice to the people regarding the Adipurush controversy
Priyakant
Last Updated: 08:50 AM, 18 June 2023
આદિપુરુષ ફિલ્મને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મના ડાયલોગ્સ પર મોટાભાગે હંગામો મચ્યો છે. આ સાથે લોકો એ પણ ગુસ્સે છે કે, ફિલ્મમાં રામાયણની વાર્તા કરતાં વધુ એક્શન સીન છે. હવે ડિરેક્ટર ઓમ રાઉતે આ વિવાદો પર મૌન તોડ્યું છે.
ઓમ રાઉતે શું કહ્યું?
16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી 'રામાયણ' પર આધારિત ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. એક તાજેતરના ઇન્ટરવ્યુમાં, ઓમ રાઉતે કહ્યું કે જેઓ કહે છે કે, તેઓ રામાયણને સમજે છે તેઓ મૂર્ખ છે. રામાયણ એટલું મોટું છે કે, તેને સમજવું કોઈના માટે અશક્ય છે. જો કોઈ એવું કહે છે કે, તેઓ રામાયણને સમજે છે, તો તે કાં તો મૂર્ખ છે અથવા તેઓ જૂઠું બોલે છે.
આ સાથે તેમણે કહ્યું કે, રામાયણ જે આપણે પહેલા ટીવી પર જોયું છે, આ એવી વસ્તુ છે જેને હું મોટા ફોર્મેટમાં જોઈને મોટો થયો છું. આપણે તેને ફિલ્મ (રામાયણ) કહી શકીએ નહીં. તેથી જ અમે તેને આદિપુરુષ કહીએ છીએ, કારણ કે તે રામાયણની અંદરનો એક ભાગ છે. તે એક યુદ્ધનો પ્રસંગ છે, જેને અમે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ માત્ર યુદ્ધનો એક નાનો ભાગ છે.
આદિપુરુષ પર શા માટે હોબાળો ?
એક તરફ 'આદિપુરુષ' એ પહેલા જ દિવસે રેકોર્ડ તોડી નાખ્યા તો બીજી તરફ આ ફિલ્મને લઈને વિવાદ પણ વધી ગયો છે. લોકો ફિલ્મના ડાયલોગને ટપોરી ગણાવી રહ્યા છે. રાવણથી લઈને ઈન્દ્રજીતના પાત્રને પણ ચપરી કહેવામાં આવે છે. લોકોને આશા નહોતી કે, મનોજ મુન્તાશીર ઓમ રાઉતની 'આદિપુરુષ'માં ટપોરી સ્ટાઇલના ડાયલોગ્સનો ઉપયોગ કરશે. જોકે મનોજે તેનો બચાવ કરતા કહ્યું છે કે, તેણે તે જાણી જોઈને કર્યું છે જેથી લોકો આ ડાયલોગ્સ સાથે રિલેટ કરી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh