બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 11:51 PM, 10 April 2023
ભારતના ઉડ્ડયન રેગ્યુલેટર (નિયમનકર્તા) DGCA દ્વારા એરલાઈન્સને મહત્વની એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં નિયમોને નેવે મૂકી નિયમનું પાલન ન કરતા મુસાફરો સામે આકરું વલણ અપનાવાનું કહેવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ જણાવ્યું હતું કે અનિયંત્ર મુસાફરો સામે પગલાં લેવા સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ (CAR) માં જણાવેલ પાઇલોટ, કેબિન ક્રૂ સભ્યો અને ઇનફ્લાઇટ સેવાઓના ડિરેક્ટરની જવાબદારીઓ છે.
DGCAના જણાવ્યા અનુસાર....
વધુમા ડીજીસીએ દ્વારા એડવાઈઝરીમાં ઉલ્લેખ કરાયો કે ધમાલકર્તા મુસાફરો સાથે એરલાઈન્સ દ્વારા પગલાં લેવા માટે CAR હેઠળ જોગવાઈઓ છે. ન્યૂઝ એજન્સીન અહેવાલ મુજબ એડવાઈઝરી ફ્લાઇટમાં બેકાબૂ મુસાફરોની વધતી ઘટનાઓને પગલે જારી કરાઈ છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં મુસાફરોના ગેરવર્તનમાં વધારો આવી રહ્યો છે. DGCAના જણાવ્યા અનુસાર બેકાબુ મુસાફરો એરક્રાફ્ટમાં ધૂમ્રપાન, આલ્કોહોલિક પીણાઓનું સેવન કરતા હોવાથી અન્ય મુસાફરો વચ્ચે ઝઘડો થાય છે. આ એડવાઇઝરીના દિવસે જ 25 વર્ષીય પુરુષ પેસેન્જરને એર ઈન્ડિયા દ્વારા દિલ્હી-લંડન ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. જેની પાછળનું કારણએ હતું કે તેણે બે કેબિન ક્રૂ સભ્યો સાથે માથાકૂટ કરી હતી.
એરક્રાફ્ટ ઓપરેશન્સની સલામતી સાથે ચેડા
ડીજીસીઓના જણાવ્યા અનુસાર ફ્લાઇટ દરમિયાન વિમાનમાં સવાર મુસાફરો દ્વારા અયોગ્ય સ્પર્શ અથવા જાતીય સતામણી પણ નોંધ્યું હતું, દિલ્હી કમિશન ફોર વુમનના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે DGCAને પેસેન્જરના બેફામ વર્તણૂક, પરિણામે જાતીય હુમલો અંગેની માર્ગદર્શિકા અપડેટ કરવા માટે પત્ર લખ્યો હતો. DGCAનેના કહેવા પ્રમાણે આવી ઘટનાઓથી એરક્રાફ્ટ ઓપરેશન્સની સલામતી સાથે ચેડા થવાની સંભાવના છે. વધુમાં તમામ એરલાઈન્સના સંચાલનના વડાઓને પાઈલટ, કેબિન ક્રૂ અને પોસ્ટ હોલ્ડરોને અનિયંત્રિત મુસાફરોને હેન્ડલ કરવા માટે સંવેદનશીલ બનાવ કહેવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir