બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 05:13 PM, 16 June 2023
Devshayani Ekadashi 2023: આ વખતે દેવપોઢી અગિયારસ 29 જૂન ગુરુવારના રોજ ઉજવવામાં આવશે, આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસ શ્રી હરિ ચાર મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં જતા રહે છે. તેથી તેને ચતુર્માસ કહેવામાં આવે છે અને આ દેવપોઢી અગિયારસથી ચતુર્માસ શરુ થાય છે.
અગિયારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી જ આ દિવસે તુલસી સાથે જોડાયેલા ઉપાય કરવુ ફળદાયી માનવામાં આવે છે કારણ કે તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે. આવો જાણીએ દેવપોઢી અગિયારના દિવસે માતા તુલસી સાથે જોડાયેલી કઇ ભૂલો ના કરવી જોઇએ.
1. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, માનવામા આવે છે કે આ દિવસે મા લક્ષ્મી નિર્જળા વ્રત રાખે છે. તેથી આ દિવસે તુલસીમાં જળ ના ચઢાવુ.
2. અગિયારસના દિવસે તુલસીના પાન ના તોડવા જોઇએ. જો તુલસીનો પ્રયોગ કરવો હોય સૂર્યોદય થતા પહેલા જ તોડી લો.
3. અગિયારસના દિવસે તુલસીની આસપાસ ગંદકી ના રાખો, તે સાથે જ તુલસીના છોડની આસપાસ બૂટ-ચંપલ પણ ના રાખો.
4. આ દિવસે ગંદા કે એંઠ્ઠા હાથથી તુલસીને સ્પર્શ કે ગ્રહણ ના કરો, નહીં તો ભગવાન વિષ્ણુ નારાજ થાય છે.
5. તુલસી માતાની પૂજા કરતી વખતે કાળા કપડા ના પહેરવા જોઇએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh