બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Khyati
Last Updated: 12:57 PM, 24 August 2022
એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાઇ જવા પામ્યા છે. જેને કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો વકર્યો છે. ત્યારે વાત કરીએ અમદાવાદ સોલા સિવિલની તો અહીં મચ્છરજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જુલાઇ મહિનાની સરખામણીએ ચાલુ મહિને ડેન્ગ્યુ અને મલેરિયાના ડબલ કેસ નોંધાયા.
ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ બમણા
છેલ્લા બે દિવસમાં શહેરમાં રૂટિન ઓપીડી કરતા ઓપીડીમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. સોલા સિવિલમાં સોમવારે 1960 OPD અને મંગળવારે 1570 OPD નોંધાઇ. ઉલ્લેખનીય છે કે જૂલાઈમાં ડેન્ગ્યુના 32 કેસ હતા જ્યારે ચાલુ મહિને અત્યાર સુધીમાં 68 કેસ નોંધાયા છે. જ્યારે જુલાઇ માસમાં મેલેરિયાના 26 કેસ હતા તે ચાલુ મહિને 44 કેસ નોંધાયા છે. કેસ વધતા મેડિસિન સિવાય નવા વોર્ડ ખોલીને દર્દીઓની સારવાર શરૂ કરાઇ છે.
અમદાવાદમાં સ્વાઇનફ્લૂથી હાહાકાર
બીજી બાજુ અમદાવાદમાં પણ સ્વાઇન ફલૂએ હાહાકાર મચાવ્યો છે. ઓગસ્ટ મહિનામાં સ્વાઇન ફ્લૂના 509 કેસ નોધાયા. સ્વાઇન ફ્લૂના 70 ટકા દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ છે. દાખલ દર્દીઓની ઉંમર 40 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું છે. 35 બાળકો 5 વર્ષથી નીચેના, 91 બાળકો 6થી 15 વર્ષના, 145 દર્દીઓ 15થી 40 વર્ષના સ્વાઇન ફ્લૂના શિકાર થયા છે. જ્યારે સાદા મલેરિયાના 129 કેસ, ડેન્ગ્યુના 132 કેસ નોંધાયા છે. આથી, કોમર્શિયલ અને રેસિડેન્ટ એકમો પર તપાસ તેજ કરાઇ.
છેલ્લા 20 દિવસમાં સિવિલમાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુનાં 45 કેસ, ચિકનગુનિયાનાં 21, મેલેરિયાનાં 32, હિપેટાઇટિસનાં 120 અને ડાયેરિયા તેમજ વોમેટિંગનાં 87 દર્દીઓ નોંધાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh