બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / demand for Lakshmis photo in currency notes CR Patil Arvind Kejriwal in Patan
Kishor
Last Updated: 10:54 PM, 28 October 2022
આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટમાં લક્ષ્મીના ફોટાની માગ ઉઠાવી છે. જે ને લઇને ભારે વિવાદ સર્જાયો છે. અરવિંદ કેજરીવાલની માગ પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પ્રહાર કર્યા હતા. પાટણમાં સી.આર. પાટીલે નિવેદન આપી જણાવ્યું હતું કે દિલ્લી અને પંજાબના કાર્યાલયમાંથી ગાંધીજીની તસ્વીર હટાવી દેવામાં આવી છે. હવે નોટોમાંથી પણ ગાંધીજીનો ફોટો હટાવી ના લે એ માટે સાવચેત રહેવાની જરૂર છે. તેમ પાટીલે ઉમેર્યું હતું.
બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી ભારતીય ચલણી નોટોને લઇને મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું કે, 'મોદી સરકારને મારી અપીલ છે કે ભારતમાં ચલણી નોટો પર ગાંધીજીની તસવીર સાથે લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર પણ લગાવવામાં આવે.'
ઇન્ડોનેશિયામાં 85% વસ્તી મુસ્લિમ, છતાં તેઓએ ગણેશજીની તસવીર લગાવી: કેજરીવાલ
વધુમાં કેજરીવાલે જણાવ્યું કે, 'અમે એમ નથી કહી રહ્યાં કે તમામ નોટો બદલવામાં આવે. પરંતુ જે નવી નોટો છાપવામાં આવે તેની પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હોય. ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે. ત્યાં 85% વસ્તી મુસ્લિમ છે, 2% હિંદુ છે, તેમ છતાં તેઓએ ચલણી નોટો પર ગણેશજીની તસવીર લગાવી છે.'
જો ઇન્ડોનેશિયા કરી શકે તો આપણે કેમ નહીં?: કેજરીવાલ
કેજરીવાલે કહ્યું હતું કે, 'અમે ઈચ્છીએ છીએ કે દરેક પરિવાર અમીર બને, એ માટે ઘણા બધા પગલાં લેવા પડશે. સારી સ્કૂલો, હોસ્પિટલો અને પાયાની મૂળભૂત સુવિધાઓ જનતાને ઉપલબ્ધ કરાવવી પડશે. ત્યારે જ શક્ય બને કે જ્યારે દેવી-દેવતાઓની કૃપા હોય. દિવાળીના દિવસે લક્ષ્મીજી-ગણેશજીની પૂજા કરતી વખતે મને આ વિચાર આવ્યો. હું એમ નથી કહેતો કે તેનાથી અર્થવ્યવસ્થા સારી થશે, પરંતુ ભગવાનના આશીર્વાદ મળશે. અમે કોઈને હટાવવાની વાત નથી કરી રહ્યાં. જો ઇન્ડોનેશિયા કરી શકે તો આપણે કેમ નહીં? લક્ષ્મીજી ઐશ્વર્ય અને સમૃદ્ધિની દેવી છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh