બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / delhi former minister satyendra jain falled in tihar jail bathroom admitted ddu hospita

BIG BREAKING / તિહાર જેલના બાથરૂમમાં લપસ્યા દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

Malay

Last Updated: 10:29 AM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ફરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

  • તિહાર જેલના બાથરૂમમાં પડી ગયા સત્યેન્દ્ર જૈન
  • તાત્કાલિક DDU હોસ્પિટલમાં કરાયા દાખલ
  • અઠવાડિયામાં બીજી વખત હોસ્પિટલમાં કરાયા દાખલ

દિલ્હી સરકારમાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ચક્કર આવવાને કારણે તિહાર જેલના બાથરૂમમાં પડી ગયા હતા, ત્યારબાદ તેમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા પણ જૈન બાથરૂમમાં પડી ગયા હતા, તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત સત્યેન્દ્ર જૈનને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.


સફદરજંગ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનને છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્યેન્દ્ર જૈનને પહેલા પણ કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. તેમને રાજધાની દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેમણે પોતાની સ્વાસ્થ્યને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. સત્યેન્દ્ર જૈને આ એફિડેવિટમાં જણાવ્યું હતું કે જેલમાં તેમનું વજન 30 કિલો ઘટી ગયું છે.

18મેના રોજ જામીન અરજી પર થઈ હતી સુનાવણી
ગત 18 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં સત્યેન્દ્ર જૈનની જામીન અરજીની સુનાવણી દરમિયાન તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ જૈનના સ્વાસ્થ્યનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે જૈનની તબિયત સારી નથી, જેના આધારે તેમણે જામીન માંગ્યા હતા. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે જૈનની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે તેઓ એક પ્રભાવશાળી વ્યક્તિ છે અને તે સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરી શકે છે.

1 વર્ષથી જેલમાં છે સત્યેન્દ્ર જૈન
મહત્વનું છે કે, સત્યેન્દ્ર જૈન મની લન્ડરિંગ મામલે લગભગ 1 વર્ષથી ન્યાયિક કસ્ટડીમાં છે. સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 31 મે 2022ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2022માં નીચલી અદાલતે મની લોન્ડરિંગ કેસમાં જૈન, તેમની પત્ની અને ચાર કંપનીઓ સહિત આઠ અન્ય વિરુદ્ધ ED દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની નોંધ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ