બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / coronavirus hit lungs heal in 3 months says study
Bhushita
Last Updated: 08:04 AM, 20 July 2021
કોરોના વાયરસ સામાન્ય રીતે દર્દીના ફેફસા પર હુમલો કરે છે. કોરોનાની બીજી લહેરમાં જોવા મળ્યું કે 90 ટકા દર્દીના ફેફસા ખરાબ થઈ ચૂક્યા છે અને એવામાં ડોક્ટરને ભય રહે છે કે આ ફેફસામાં લંગ ફાઈબ્રોસિસ નામની બીમારી થઈ શકે છે. આ બીમારીમાં ફેફસામાં ટિશ્યૂ ખરાબ થાય છે અને ફેફસા કામ કરવાનું બંધ કરી દે છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કોરોનાના એ દર્દી જેમના ફેફસા ખરાબ થયા હતા તે 3 મહિનામાં સાજા થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર સ્ટડીમાં ખ્યાલ આવી રહ્યો છે કે મોટાભાગના દર્દીના ફેફસા સારા થઈ રહ્યા છે. આ સ્ટડીની શરૂઆતના પરિણામ લંગ ઈન્ડિયા જર્નલમાં છપાયા છે.
સારા થઈ રહ્યા છે ખરાબ ફેફસા
સ્ટડીમાં મળી રહેલા પરિણામમાં જાણવા મળ્યું કે કોરોનાના એ દર્દીઓ પર રિસર્ચ કરાયું હતું જેમના ફેફસા ખરાબ થયા હતા. તેમને 3 મહિના બાદ ફેફસાનો આકાર અને કામ કરવાની રીતમાં સુધારો જોવા મળ્યો અને તેઓએ રાહત અનુભવી હતી. દરેક દર્દીના લંગ ફંક્શન ટેસ્ટ અને સીટી સ્કેન પણ કરાયા હતા.
આ દર્દીઓ પર રાખવામાં આવી નજર
આ સ્ટડી કોરોનાના એ 42 દર્દીઓ પર કરાયો છે જેમને એન્ટી વાયરલ રેમડિસિવિર ઈન્જેક્શન અને સ્ટીરોઈડ અપાયા હતા. જે દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાયા અને સાથે તેમને ખતરનાક નિમોનિયા પણ હતો. અત્યાર સુધી 300 લોકો પર નજર રાખવામાં આવી છે અને કેટલાકને કોરોના થયા બાદ એક વર્ષ સુધી ફોલો કરાયા છે. કેટલાક દર્દીઓને કોરોનાથી સાજા થયા બાદ લંગ ફાઈબ્રોસિસની દવા લેવાનું પણ કહેવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ