બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / Corona spread again in 11 states of India including Gujarat: new variant found in all samples, 93 percent patients is not serious
Megha
Last Updated: 08:21 AM, 22 December 2023
દેશમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે અને છેલ્લા પાંચ અઠવાડિયાથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં નવું સબ-વેરિયન્ટ JN.1 જોવા મળી રહ્યું છે. હવે ધીરે ધીરે આ સબ વેરિયન્ટથી સંક્રમિત થતાં લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને દેશના 11 રાજ્યોમાં આ વેરિયન્ટથી સંક્રમણના કેસો સામે આવ્યા છે.
આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે..
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સોંપવામાં આવેલ એક અહેવાલ અનુસાર, 'ગયા મહિને નવેમ્બરમાં જીનોમ સિક્વન્સિંગ દરમિયાન દેશના પ્રથમ ચાર JN.1 સંક્રમિત કેસ બહાર આવ્યા હતા પરંતુ આ મહિને આ વેરિયન્ટના 17 દર્દીઓમાં જોવા મળ્યું હતું.' આ રિપોર્ટ પર હવે એક્સપર્ટસનું કહેવું છે કે આ JN.1માં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અથવા તો ત્રીજી વ્યક્તિમાં ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે છે, પરંતુ ગંભીરતાની દૃષ્ટિએ તે પહેલાના વર્ષોની જેમ મજબૂત નથી. આ વેરિયન્ટ બસ ઝડપથી ફેલાઈ રહ્યો છે પણ જાનલેવા નથી.'
આ રાજ્યોમાં પંહોચ્યો કોરોના JN.1
સ્વાસ્થ્ય મંત્રાલયના એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે JN.1 નું સંક્રમણ દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયું છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા, પુડુચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેમના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
એક રિપોર્ટ અનુસાર દેશમાં કુલ 2,669 સક્રિય દર્દીઓમાંથી, 45 દર્દીઓ 10 રાજ્યોની હોસ્પિટલમાં દાખલ છે અને એમની હાલત થોડી ગંભીર છે. તો તેની સામે 125 થી વધુ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ વિના હોસ્પિટલમાં છે. પણ અંહિયા સૌથી મોટી રાહતની વાત એ છે કે 92.80 ટકા દર્દીઓ તેમના ઘરોમાં આઇસોલેશનમાં છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે ગઈકાલે દેશમાં કોરોના સંક્રમણને કારણે છ લોકોના મોત થયા છે. કેરળમાં ત્રણ, કર્ણાટકમાં બે અને પંજાબમાં એક દર્દીનું મોત થયું છે. તે જ સમયે ગઈકાલે 358 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા, જેના કારણે સક્રિય કેસની સંખ્યા 2,305 થી વધીને 2,669 થઈ ગઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh