બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / Chhattisgarh assembly election opinion poll says that bjp is not voters first choice in the state
Vaidehi
Last Updated: 07:14 PM, 30 September 2023
છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આજે PM મોદી બિલાસપુરમાં પરિવર્તન યાત્રાનાં સમાપન માટે પહોંચ્યાં હતાં. તેવામાં IANS-પોલસ્ટ્રેટે લેટેસ્ટ ઓપિયન પોલ જાહેર કર્યાં છે. આ સર્વે અનુસાર ભારતીય જનતા પાર્ટીને છત્તીસગઢમાં ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે.
છત્તીસગઢની 90 સીટોની સ્થિતિ
સર્વે અનુસાર,
ભાજપ- 27
કોંગ્રેસ-62 સીટો મળતી દેખાઈ રહી છે.
જો કે ઓપિનિયન પોલનાં આંકડાઓ આવનારા દિવસોમાં બદલાઈ પણ શકે છે. પરંતુ આ સર્વે અનુસાર ભાજપની ચિંતામાં વધારો થતો દેખાઈ રહ્યો છે.
બિલાસપુરમાં ભાજપની નજર
બિલાસપુર છત્તીસગઢનો સૌથી મોટો સંભાગ છે. બિલાસપુર સંભાગમાં 8 જિલ્લાની 25 વિધાનસભા સીટ આવે છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અહીં 25માંથી માત્ર 7 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને 2018માં 25માંથી 14 સીટો મળી હતી. વર્ષ 2018માં છત્તીસગઢમાં ભાજપને કુલ 15 સીટો મળી હતી. જે બાદ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસે 90માંથી 68 સીટો પર વિજય મેળવીને પોતાની સરકાર બનાવી લીધી હતી. વર્તમાનમાં કોંગ્રેસ પાસે 71 સીટ છે.
શું છત્તીસગઢમાં BJPની વાપસી થશે?
ભાજપની પરિવર્તન યાત્રા આજે બિલાસપુરમાં સમાપ્ત થઈ. ભાજપે 2 પરિવર્તન યાત્રાઓ કાઢી હતી જેમાં પહેલી 12 ડિસેમ્બરનાં અને બીજી 15 સપ્ટેમ્બરનાં થઈ હતી. પહેલી યાત્રા દક્ષિણી છત્તીસગઢથી શરૂ કરવામાં આવી હતી અને બીજી રેલી ઉત્તર છત્તીસગઢમાં કાઢવામાં આવી હતી. આ પરિવર્તન યાત્રા દરમિયાન ભાજપ 90માંથી 87 સીટો પાસેથી પસાર થઈ. બિલાસપુરમાં આ યાત્રાનાં સમાપન પહેલાં યાત્રાઓમાં 82 સ્વાગત સભાઓ, ચાર રોડ શૉ અને વિવિધ સાર્વજનિક સભાઓ થઈ હતી. હવે આ યાત્રાની અસર છત્તીસગઢની જનતાની વોટિંગ પેટર્નમાં કેટલું પરિવર્તન લાવી છે તે સમય જ જણાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh