બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / chandrayaan 3 isro latest update on chandrayaan-4-5-and 6 next moon mission good news
Hiralal
Last Updated: 09:15 PM, 6 October 2023
તાજેતરમાં જ ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતારીને ઈતિહાસ રચી દીધો છે. ભારતના ત્રીજા ચંદ્ર મિશનની દુનિયાભરમાં પ્રશંસા થઈ હતી. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન ઉતારનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. હવે ઈસરોએ બીજા એક સારા સમાચાર આપ્યાં છે. ઈસરોએ ચંદ્રયાનના આગામી મિશન એટલે કે ચંદ્રયાન-4 અને અન્ય વિશે લેટેસ્ટ જાણકારી આપી હતી.
ઈસરોએ ભવિષ્યનો શું છે પ્લાન
ઈસરોના ડેપ્યુટી ડાયરેક્ટર પી સુનીલે કહ્યું કે, ચંદ્રયાન-4, 5 અને 6ને બાકી બચેલા પેલોડ સાથે લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. આ માટે એક યોજના બનાવવામાં આવી રહી છે. સુનિલ શ્રી જગન્નાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વર્લ્ડ સ્પેસ વીક નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં સુનિલે કહ્યું કે હાલમાં, ઘણા અવકાશ મિશન શરૂ કર્યા પછી અમને સારું ભંડોળ મળી રહ્યું છે. હવે અમારો આંતરરાષ્ટ્રીય અવકાશ વ્યવસાય બે ટકા છે, જે સાત અબજ ડોલર સુધી પહોંચી ગયો છે.
ચંદ્ર પર પાણી શોધવા મોકલાશે ચંદ્રયાન-4
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (જેએએક્સએ) લ્યુપેક્સને લોન્ચ કરવા માટે કામ કરી રહી છે. આ મિશનને ચંદ્રયાન-4 તરીકે પણ ઓળખવામાં આવે છે. આવામાં બંને એજન્સીઓ ચંદ્ર પર પાણીની હાજરી વિશે હજુ વધુ માહિતી એકઠી કરવા જઈ રહી છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ પાણીની હાજરી અને સંભવિત ઉપયોગિતા માટે ચંદ્ર ધ્રુવીય ક્ષેત્રની તપાસ કરવાનો છે. 2026માં ચંદ્રયાન-4 લોન્ચ થવાની ધારણા છે.
ચંદ્રયાન-3માં શું સફળતા મળી?
ચંદ્રયાન-3ની વાત કરીએ તો 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ઉતર્યા બાદ પ્રજ્ઞાન રોવર થોડા સમય બાદ વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યું હતું. પ્રજ્ઞાને 14 દિવસ સુધી ચાલીને ચંદ્રની માટીનો સ્ટડી કર્યો હતો. તેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની પુષ્ટિ કરી હતી. આ સિવાય ઓક્સિજન, કેલ્શિયમ, આયર્ન, ટાઇટેનિયમ, તાપમાન અને અન્ય ઘણી માહિતી પણ ઈસરોના કમાન્ડ સેન્ટરને મોકલી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir