બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 11:50 AM, 4 March 2024
S Jaishankar Statement : આપણા વિદેશમંત્રીએ ફરી એકવાર પોતાના અલગ અંદાજમાં માલદીવને જવાબ આપ્યો છે. વાત જાણે એમ છે કે, જ્યારથી મોહમ્મદ મુઇઝ્ઝુ રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી છે. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે માલદીવને તેમની પરિચિત શૈલીમાં જવાબ આપ્યો છે. 'બિગ બુલી'ના મુઈઝુના નિવેદન પર તેમણે કહ્યું કે, જ્યારે પાડોશી દેશો મુશ્કેલીમાં હોય છે ત્યારે બુલીઝ 4.5 અબજ ડોલરની મદદ કરતા નથી. જયશંકરનું આ નિવેદન મુઈઝુના નિવેદનના સંબંધમાં આવ્યું છે, જે તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં આપ્યું હતું. મુઈઝુએ કહ્યું હતું કે આપણે ભલે નાનો દેશ હોઈએ પરંતુ તે કોઈને આપણી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ આપતું નથી.
એક કાર્યક્રમમાં તેમના પુસ્તક 'વાય ઈન્ડિયા મેટર્સ' વિશે વાત કરતી વખતે જયશંકરે કટોકટીમાં પડોશી દેશોને મદદ કરવામાં ભારતની સક્રિય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન જ્યારે જયશંકરને પૂછવામાં આવ્યું કે, શું ભારતીય ઉપમહાદ્વીપમાં ભારતને 'બુલી' તરીકે જોવામાં આવે છે. આના પર જયશંકરે કહ્યું કે જ્યારે તમે ભારતને એક બુલી તરીકે જુઓ છો, તો તમારે સમજવું જોઈએ કે 'મોટા બુલીઓ' તેમના પડોશી દેશોને સંકટમાં 4.5 બિલિયન ડોલરની મદદ નથી આપતા. 'બિગ બુલીઝ' કોરોના દરમિયાન અન્ય દેશોમાં રસી સપ્લાય કરતા નથી. યુદ્ધ અથવા કટોકટીમાં ફસાયેલા દેશોની ખોરાક અથવા ખાતરની જરૂરિયાતોને પૂર્ણ કરતા નથી.
આ સાથે તેમણે કહ્યું કે, આજે તમારે જોવું પડશે કે ભારત અને તેના પાડોશી દેશો વચ્ચે શું બદલાવ આવ્યો છે. ચોક્કસપણે બાંગ્લાદેશ અને નેપાળ સાથેના વેપાર સંબંધો સુધર્યા છે. ત્યાં એવા રસ્તા છે જે એક દાયકા પહેલા નહોતા. એવી રેલ્વે છે જ્યાં એક દાયકા પહેલા કોઈ નહોતું. છેલ્લા કેટલાક વર્ષોમાં નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને બાંગ્લાદેશ સાથે રોકાણ અને વેપાર વધ્યો છે. આમાં માલદીવ પણ સામેલ છે.
જાણો શું કહ્યું હતું મુઈજ્જુએ ?
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ આ વર્ષે જાન્યુઆરીમાં પાંચ દિવસ માટે ચીનની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાંથી પાછા ફરતાની સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અમારી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ કોઈની પાસે નથી. મુઈજ્જુએ કહ્યું હતું કે આપણે ભલે નાનો દેશ હોઈએ પરંતુ તે કોઈને આપણી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ આપતું નથી. જોકે મુઈજ્જુએ કોઈનું નામ લઈને સીધું આ નિવેદન આપ્યું નથી. પરંતુ એવું માનવામાં આવતું હતું કે તેમનું લક્ષ્ય ભારત તરફ હતું.ચીન તરફી ગણાતા મુઈઝુએ તેમની પાંચ દિવસની ચીન મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાત એવા સમયે થઈ જ્યારે માલદીવ સરકારના ત્રણ મંત્રીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ વધી રહ્યો છે.
બંને દેશો વચ્ચે શું છે વિવાદ?
વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવ સરકારના ત્રણ મંત્રીઓએ PM મોદીની મુલાકાતની કેટલીક તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ ઘેરો બન્યો હતો. આ મામલે વિવાદ વધ્યા બાદ આ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh