બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / Botad Laththakand: 4-day remand of 7 accused AMOS company sealed 21 patients discharged from hospital
Vishnu
Last Updated: 09:28 PM, 28 July 2022
બોટાદ કથિત લઠ્ઠાકાંડમાં 32 મોત બોટાદ જિલ્લામાં થયા છે, અમદાવાદના 11 વ્યક્તિઓના મૃત્યુ સાથે કુલ આંકડો 43 સુધી પહોંચી ગયો છે. સમગ્ર કેસમાં 15 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે ગજુબેન અને પીન્ટુ ગોરહવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 10 દિવસની રિમાન્ડની માંગણી વચ્ચે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.ત્યારે આજે વધુ 7 આરોપીઓને બરવાળાની કોર્ટમાં કરવામાં રજૂ કરવામાં આવ્યા હતા. તમામના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કયા કયા આરોપીના રિમાન્ડ મંજૂર થયા?
કુલ 21 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
તો બીજી તરફ રાહતની વાત એ છે કે હોસ્પિટલમાં દર્દીઓના એડમિટ થવાની સંખ્યા નહિવત થઈ ગઈ છે. જે લોકો ઝેરી દારૂ પીવાથી અસરગ્રસ્ત થયા હતા અને સારવાર હેઠળ હતા તેઓની પણ તબિયત સુધરી જતાં તેમણે હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી 15 તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી 6 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ભાવનગરમાં 85થી વધુ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 43 દર્દીઓ સારવાર હેઠળ છે.
હવે અમે દારૂને હાથ પણ નહીં લગાવીએ: ડિસ્ચાર્જ થયેલા દર્દી
મોતને માત આપી ઘરે પરત ફરેલા દર્દીઓએ આપવીતી જણાવતા કહ્યું હતું કે અમે 2 3 પોટલીઓ પીધી હતી. જે બાદ 3 4 કલાક પછી આંખે અંધારા આવ્યા હતા. ગામના ડૉક્ટરે બાટલો ચડાવતા થોડી રાહત થઈ હતી પણ અચાનક જ દેખાવવાનું બંધ થઈ ગયું હતું. ત્યારે એક જ વાત મનમાં હતી કે હવે દારૂને હાથ નહીં લગાવીએ. હવે ઘરે પરત ફરી રહ્યા છીએ ત્યારે તમામને વિશ્વાસ આપતા કહ્યું કે હવે દારૂને હાથ પણ નહી લગાવીએ તેવી નેમ લીધી છે. મહત્વનું છે કે ભાવનગર સિવિલમાંથી આ પહેલા પણ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા
AMOS કંપની સીલ
AMOS કંપનીમાં નશાબંધી અને આબકારી વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી છે.કંપનીમાં રહેલ મિથેનોલ કેમિકલના નમૂના FSLમાં મોકલવામાં આવ્યા છે. તેમજ AMOS કપંનીના કેમિકલના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. કંપનીમાં રહેલ 8 હજાર લીટર કેમિકલને સીઝ કરી AMOS કંપનીને બંધ કરવાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. આ તપાસમાં એ પણ ખૂલ્યું છે કે AMOS કંપની જોબ વર્ક પર કામ કરતી હતી અને ફીનાર કંપનીને મિથેનોલ કેમિકલનો જથ્થો આપતી હતી. અઢી લીટરની કાચની બોટલિંગ કરી પ્રોસેસિંગ કરતા હતા. સમગ્ર મામલે કંપનીના માલિક સમીર પટેલની પૂછપરછ કરવામાં આવશે. તો બીજી તરફ AMCએ એમોસ કંપનીને નોટિસ પાઠવી સીલ કરી દીધી છે. નોટિસમાં હેલ્થ અખાદ્ય પદાર્થનું લાયસન્સ ન હોવાથી સીલ કરાઇ હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આરોપીઓએ 43 લોકોના લીધા જીવ અનેકને બેઘર કર્યા
જયેશના ફુઆના છોકરા સંજયને 600 લિટર કેમિકલ અપાયું. 600 લિટરમાંથી સંજય ઉર્ફે પિન્ટુ નામ શખ્સને આ કેમિકલ અપાયું. જયેશ કેમિકલ કંપનીના ગોડાઉનનો ઇન્ચાર્જ હતો. 600 લિટરમાંથી 200 લિટર કેમિકલ પિન્ટુને આપવામાં આવ્યું હતું. જેમાં પાણી મિલાવીને તેનું વેચાણ કરાતું. આ રીતે ગામમાં ટુકડે-ટુકડે મિથેનોલનું વેચાણ થયું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir