બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / BJP government and Modi are providing free of cost treatment up to Rs 5 lakh to poor families- PM
Hiralal
Last Updated: 05:30 PM, 1 July 2023
ચૂંટણીવાળા રાજ્ય મધ્યપ્રદેશમાં પીએમ મોદીએ ગરીબોની મફત સારવારને લઈને એક ગેરન્ટી આપી છે. શહડોલમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આયુષમાન કાર્ડ એ હોસ્પિટલોમાં 5 લાખની સારવારની ગેરન્ટી છે. આ મોદીની ગેરન્ટી છે.
#WATCH | Shahdol, Madhya Pradesh: "...Our government has brought the Ayushman Bharat Yojana to reduce the expenditure for the poor...The Ayushman Card will guarantee the poor free medical checkups worth Rs 5 lakh...Today, in Madhya Pradesh 1 crore people have received the… pic.twitter.com/FPDvLZI8xy
— ANI (@ANI) July 1, 2023
પીએમ મોદીએ સભામાં દેખાડ્યું આયુષમાન કાર્ડ
આ કાર્યક્રમમાં લોકોને આયુષ્માન કાર્ડ બતાવતા પીએમ મોદીએ કહ્યું કે, તમે આ મોદી ગેરેન્ટેડ કાર્ડથી દેશની કોઈપણ હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની સારવાર કરાવી શકો છો. પીએમે તેને પોતાની ગેરંટી ગણાવતા કહ્યું કે આ મારી ગેરંટી છે કે આ કાર્ડ બતાવ્યા બાદ કોઈ તમને સારવાર માટે ના પાડી શકે નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે મધ્યપ્રદેશમાં 1 કરોડ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવી રહ્યાં છે. આ બંને પ્રયત્નોનો સૌથી મોટો લાભ આપણા ગોંડ સમાજ, ભીલ સમાજ અને અન્ય આદિવાસી સમુદાયના લોકો છે.
મધ્યપ્રદેશમાં 1 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ અપાયા
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે અહીં મધ્યપ્રદેશમાં 1 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. જો કોઈ ગરીબ વ્યક્તિને ક્યારેય હોસ્પિટલમાં જવું પડે છે, તો આ કાર્ડ તેના ખિસ્સામાં 5 લાખ રૂપિયા સુધીના એટીએમ કાર્ડ તરીકે કામ કરશે.
VIDEO | "It is the BJP government and Modi who are providing free of cost treatment up to Rs 5 lakh to poor families. This never happened in the country earlier," says PM Modi in Shahdol, Madhya Pradesh. pic.twitter.com/Ea8rLtKQMO
— Press Trust of India (@PTI_News) July 1, 2023
નકલી ગેરન્ટી આપતાં નેતાઓથી સાવધાન રહેવાનું કહ્યું
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમારે નકલી ગેરંટીથી સાવધાન રહેવું પડશે. વિપક્ષના મફત યોજનાઓના વાયદાઓ પર નિશાન સાધતા પીએમે કહ્યું કે, જેમની પાસે પોતાની ગેરંટી નથી તેમનાથી સાવધાન રહો. કેટલાક નેતાઓ આવે છે અને મફત વસ્તુઓનું વચન આપે છે અને પછી સુવિધાઓને મોંઘી બનાવે છે. પીએમ મોદીએ કહ્યું, ગેરંટીની આ ચર્ચા વચ્ચે તમારે પણ ખોટી ગેરંટી આપનારા અને જેમની પાસે પોતાની કોઈ ગેરંટી નથી, તેઓ ગેરંટી સાથે તમારી પાસે નવી યોજનાઓ લઈને આવી રહ્યા છે, તેનાથી તમારે પણ સાવધાન રહેવું પડશે. તેમની ગેરંટીમાં રહેલી ખામીઓને ઓળખી કાઢો, ખોટી ગેરંટીના નામે ચાલી રહેલી તેમની છેતરપિંડીની રમતને સમજો.
VIDEO | "The social media posts of those (opposition parties), who want to come together, are getting viral these days. These opposition parties are only uniting to promote dynastic politics," says PM Modi in Shahdol, Madhya Pradesh. pic.twitter.com/RzSUM7bmMI
— Press Trust of India (@PTI_News) July 1, 2023
વિપક્ષી એકતા પર હુમલો
મોદીએ વિપક્ષી એકતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ બધા ભ્રષ્ટ અને રાજવંશી લોકો હવે એકઠા થયા છે. હવે તમે આ તમામ લોકોને એક મંચ પર એક સાથે જામીન પર જોશો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh