બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / સુરત / BJP CR Patil press conference on congress MP Dhiraj Sahu income tax raid issue
Vaidehi
Last Updated: 05:28 PM, 9 December 2023
ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુ પાસેથી આજે 300 કરોડ જેટલી રકમ IT વિભાગે જપ્ત કરી છે. આ દરોડામાં અત્યાર સુધીમાં "બિનહિસાબી રોકડ" જપ્ત કરવામાં આવી છે અને તેનો આંકડો 290 કરોડ રૂપિયાને પાર ગયો છે. કોઈ પણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં મળી આવેલું આ "અત્યાર સુધીનું સૌથી વધુ" કાળું નાણું છે. આ ઉપરાંત દાગીનાની 3 સૂટકેસ પણ મળી આવી છે. કોંગ્રેસનાં આ સાંસદનો ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા પરદાફાશ થયાં બાદ ગુજરાતનાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફેરેન્સ યોજી હતી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યાં હતાં.
LIVE: કોંગ્રેસના નેતા દ્વારા થયેલા કરોડોના કૌભાંડ અંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની પત્રકાર પરિષદ સ્થળ: 'શ્રી કમલમ્', પંડિત દીનદયાળ ભવન, ઉધના, સુરત https://t.co/8X124jM1Ag
— BJP Gujarat (@BJP4Gujarat) December 9, 2023
સી.આર.પાટીલે કરી પત્રકાર પરિષદ
તેમણે કહ્યું કે કોંગ્રેસનાં ભ્રષ્ટાચારનાં પૂરાવા અંગે ગઈકાલે 210 કરોડ અને હવે 300 કરોડથી ઉપરની રકમ IT વિભાગે જપ્ત કરી છે. ઝારખંડનાં સાંસદ ધીરજ પ્રસાદ સાહુને ત્યાં આવક વિભાગનાં દરોડામાં આ જે મોટી રકમ મળી આવી છે તેનાથી સૌથી આંખો પહોડી રહી ગઈ છે. સી.આર. પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, " 2 વખત લોકસભા ચૂંટણીમાં હારેલા વ્યક્તિને કોંગ્રસે 3 વખત રાજ્યસભાનાં સાંસદ બનાવ્યાં છે. એવી તો એ વ્યક્તિ શું મદદ કરતો હતો જેનાં લીધે કોંગ્રેસે તેને 3 વખત સાંસદ બનાવ્યો છે. આ વ્યક્તિ તો રાહુલ ગાંધીની પણ ખુબ નજીક છે."
ભ્રષ્ટાચાર અને કોંગ્રેસ પરી સી.આર.પાટીલ
તેમણે કહ્યું કે, "કોંગ્રેસનાં અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખરગે પણ આ વિષયે ચુપ છે. કોંગ્રેસે હજુ સુધી આ બાબતે મૌન જાળવ્યું છે. જનતાનો લૂટેલો એક-એક પૈસો પાછો આપવો પડશે. આ મોદીની ગેરન્ટી છે. PM મોદીની ગેરન્ટી છે કે તેઓ ભ્રષ્ટાચારને જળમૂળથી ઊખેડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં આ એક સાંસદ પાસેથી આવી રકમ મળી છે તેવી તો કોંગ્રેસનાં અન્ય સભ્યો પાસે કેટલી રકમ હશે...ગાંધી પરિવાર સૌથી વધુ ભ્રષ્ટ છે. "
₹ 2000000000
— Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) December 8, 2023
Yes just ₹ 2000000000 recovered
From the house of CONGRESS MP Dhiraj Prasad Sahu in Jharkhand
Congratulations @RahulGandhi
Congratulations @priyankagandhi
Congratulations @kharge
Congratulations @SupriyaShrinate
Just ONE MP of CONGRESS
Repeating Just ONE MP… pic.twitter.com/g8P8ZrgABL
ભાજપા અધ્યક્ષ અનિલ પટેલે શું કહ્યું?
ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલ પટેલે કહ્યું કે, કોંગ્રેસની દુકાન મહોબતની નહીં પરંતુ જૂઠ લૂંટ અને ભ્રષ્ટાચારની દુકાન છે. તેમણે કહ્યું કે, 'સુખી નાગરિક અને સશક્ત ભારત એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે. "સાફ નિયત સહી વિકાસ" સાથે દેશના નાગરિકોની એકેએક પાઈ ભ્રષ્ટાચારીઓ પાસેથી પરત લાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે.'
નોટો ગણવાના 40 નાના મોટા મશીન મંગાવાયા
સુત્રોના જણાવ્યા અનુસાર વિભાગે નોટો ગણવાના 40 જેટલા નાના-મોટા મશીનો મૂક્યા છે અને બેન્કમાંથી સ્ટાફને બોલાવીને ગણતરી કરાઈ રહી છે.
136 બેગની ગણતરી બાકી
એસબીઆઈ બલાંગીરના રિજનલ મેનેજર ભગત બેહરાએ જણાવ્યું હતું કે, "અત્યારે અમે બે દિવસની અંદર તમામ પૈસા ગણવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. 50 કર્મચારીઓ પૈસા ગણી રહ્યા છે. અમને પૈસાની થેલીઓની 50 થેલીઓ મળી છે અને અમે ફક્ત 176 થેલીઓની ગણતરી પૂર્ણ કરી છે, હજુ 40 બેગની ગણતરી બાકી છે તેમાંથી ઘણી રકમ નીકળી શકે તેમ છે.
ધીરજ પ્રસાદ સાહુ દારુના ધંધો કરી રહ્યો છે
આ ઉપરાંત વિભાગે જપ્ત કરેલી રોકડને સરકારી બેન્કો સુધી પહોંચાડવા માટે વધુ વાહનોની પણ માગણી કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ધીરજ પ્રસાદ સાહુ સાથે જોડાયેલા પરિસરને પણ શોધના ભાગ રૂપે આવરી લેવામાં આવ્યા હતા. સાહુ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir