બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'Biporjoy' will cause a frenzy! High alert declared in 9 states including Gujarat-Maharashtra

ઍલર્ટ / 'બિપોરજોય' મચાવશે તાંડવ! ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર, 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Priykant Shrimali

Last Updated: 08:01 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy News: ચક્રવાત પહેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, દરિયાઈ મોજામાં ઉછાળો અને જોરદાર પવન જોવા મળી શકે છે

  • બિપોરજોય વાવાઝોડાને લઈ સતત નવી અપડેટ
  • ગુજરાત-મહારાષ્ટ્રમાં એજન્સીઓ એલર્ટમોડ પર 
  • ચક્રવાત પહેલા પણ આ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ

બિપોરજોય વાવાઝોડાને લઈ સતત નવી અપડેટ સામે રહી છે. દેશમાં આ દિવસોમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચક્રવાત બિપોરજોયને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. આ ચક્રવાત ગુરુવારે બપોરે ત્રાટકવાની સંભાવના છે. પરંતુ ચક્રવાત પહેલા પણ આ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, દરિયાઈ મોજામાં ઉછાળો અને જોરદાર પવન જોવા મળી શકે છે. 

મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, રાજ્યના 8 જિલ્લાઓમાં આ વાવાઝોડાની વ્યાપક અસર થશે. સરકાર, સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓએ 30 હજારથી વધુ લોકોને બચાવ્યા છે જેથી કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોનું જીવન આ ચક્રવાતથી પ્રભાવિત ન થાય. 

સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા 
ચક્રવાત બિપોરજોયને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના ગામડાઓમાંથી સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રામજનોને ચિંતા છે કે, જો તેઓ તેમના પશુઓને છોડીને અન્ય સ્થળોએ જશે તો આ આફતમાં પ્રાણીઓને નુકસાન થઈ શકે છે. ગામના લોકો પોતાનો સામાન, ઘર અને જાનવર છોડવા માંગતા નથી. 

શું કહ્યું હવામાન વિભાગે ? 
ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ આ ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત થવાની ધારણા છે. કચ્છ જિલ્લામાં દરિયાકાંઠાથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે આવેલા આશીર્વાદ ગામમાં પોલીસ અને મહેસૂલ અધિકારીઓએ તેમની સાથે શાંતિપૂર્ણ બેઠક યોજ્યા પછી જ લોકો ત્યાંથી જવા માટે સંમત થયા હતા.

સરકારના શ્રમ અધિકારી સીટી ભટ્ટે કહ્યું કે, વહીવટીતંત્ર ઇચ્છે છે કે,. ચક્રવાતમાં કોઈ જાનહાનિ ન થાય. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આપણે આપણા અસ્તિત્વ માટે પ્રાણીઓ પાળીએ છીએ. અમે તેમને પાછળ છોડી શકતા નથી. જેમની પાસે કાચા ઘર છે તેઓ જતા રહેશે. મહિલાઓ અને બાળકોને આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Biparjoy news દરિયાઈ મોજા દરિયાકાંઠા બિપોરજોય બિપોરજોય વાવાઝોડું Cyclone Biparjoy News
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ