બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 09:10 AM, 16 June 2023
સનાતન ધર્મમાં ભગવાનની પૂજા કરતા સમયે નૈવેદ્ય (ભોગ) લગાવવાની પરંપરા છે. ભક્તો તેમના ભગવાનને મનપસંદ ભોગ લગાવીને તેમને રિઝાવે છે. શુભ કાર્યક્રમો દરમિયાન ભગવાનને વિશેષ પકવાન ધરાવવામાં આવે છે. અનેક લોકો ભોગ લગાવવાના નિયમ અને તેના મહત્ત્વ વિશે જાણકારી હોતી નથી. નિયમ અનુસાર ભોગ લગાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે, તેવી માન્યતા છે. અનેક લોકો ભોગ લગાવતા સમયે અજાણતા એવી ભૂલ કરી બેસે છે, જેનો કોઈ અર્થ રહેતો નથી. ભગવાનને ભોગ શા માટે ધરાવવો જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપી રહ્યા છીએ.
ભગવાનને ભોગ શા માટે ધરાવવામાં આવે છે?
ભગવાનને શુદ્ધ અને ઉચિત ભોજન પીરસવું તે પૂજાની એક રીત છે. ભગવાનની મર્યાદા અનુસાર ભોગ લગાવવામાં આવે છે અને તેમના ભોજનમાં અપવિત્ર ભોજનને કોઈ સ્થાન હોતું નથી. ભગવાનને ભોગ ધરાવવા પાછળ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ તે આયુર્વેદ અને વાસ્તુ શાસ્ત્ર પર આધારિત છે. આયુર્વેદ અનુસાર ભગવાન માટે ભોજન બનાવવા સમયે મનમાં સદભાવ હોય છે. સદભાવના કારણે વ્યક્તિ ખુશ રહે છે અને મનનો તણાવ દૂર થાય છે. ભગવાન માટે જે ભોજન બનાવવામાં આવે છે, તેમાં પ્રેમ પણ ભળેલો હોય છે. આ કારણોસર વ્યક્તિ પ્રસન્નતા અનુભવે છે અને માનસિક રોગની અસર ઓછી થાય છે.
વાસ્તુ અનુસાર ભોગ લગાવવાનો નિયમ?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભગવાનને ભોગ ધરાવ્યા પછી ભોજન કરવાથી અન્નદોષ દૂર થાય છે. અન્નના વ્યયને કારણે જે અન્ન દોષ ઉત્પન્ન થાય છે, અન્નનો ભંડાર ખોટી જગ્યાએ હોવાને કારણે માઁ અન્નપૂર્ણાનું સ્થાન ખોટી જગ્યાએ બની જાય છે. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh