બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhadravi Poonam fair: 2.75 lakh devotees visit Ma Amba on the first day itself
Vishal Khamar
Last Updated: 10:55 AM, 24 September 2023
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 23 થી 29 સપ્ટેમ્બર સુધી ચાલનારા ભાદરવી પૂનમનાં મેળાનો ગત રોજ પ્રારંભ થવા પામ્યો હતો. ત્યારે આ મહામેળાની ગણનાં માત્ર ગુજરાત જ નહી પરંતું દેશભરમાં ભરાતા મોટા મેળાઓમાં થાય છે. તેમજ આ મેળામાં લાખો શ્રાદ્ધાળુઓ મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે. યાત્રાધામ અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. મેળાનાં પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાનાં દર્શન કર્યા હતા. પ્રથમ દિવસે જ મંદિરને કુલ રૂા. 56 લાખ 38 હજારની આવક થવા પામી હતી. તેમજ મંદિરમાં ચડાવા રૂપે 6 ગ્રામ સોનાની પણ આવક થવા પામી છે. જ્યારે 12 હજારથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. જ્યારે ભક્તોને લાવવા લઈ જવા માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી અંબાજી આવતી એસટી બસોની કુલ 1415 ટ્રીપ થઈ હતી. તેમજ 1.48 લાખથી વધુ બોક્સ પ્રસાદનું વિતરણ થયું હતુ.
1.48 લાખથી વધુ બોક્સ પ્રસાદનું વિતરણ
અંબાજી ખાતે ભાદરવી પૂનમનાં મેળામાં લાખો ભક્તા મા અંબાનાં દર્શન કરવા આવે છે. અંબાજી માતાનાં પ્રસાદ મોહનથાળનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. ત્યારે ભક્તોને લાઈનમાં ન ઉભા રહેવું પડે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ્ર દ્વારા ડીઝીટલ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંદિર પરિસર ખાતે એક વેન્ડીંગ મશીન લગાવવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ પૈસા પ્રમાણે પ્રસાદનાં પેકીંગ મુકવામાં આવ્યા છે. ભક્તો દ્વારા કેટલા રૂપિયાનો પ્રસાદ લેતો તે પસંદ કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ કરતાની સાથે જ તરત જ તેટલા રૂપિયાનો પ્રસાદનો ડબ્બો બહાર આવી જાય છે. જેથી ભક્તોને લાઈનમાં ઉભા રહેવું ન પડે.
પહેલા લાઈનમાં ઉભા રહેવું પડતું હતું અને ધક્કા મુક્કી થતી હતી તેમાંથી બચાવ થયોઃ યાત્રીક
આ બાબતે એક યાત્રીકે જણાવ્યું હતું કે, અંબાજી મંદિર ટ્ર્સ્ટ દ્વારા જે ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. તે ખૂબ જ સારી છે. ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ તરત જ પ્રસાદ મળી ગયો હતો. ત્યારે આ જે ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. તે ખૂબ જ સારી છે. પહેલા લાઈનમાં ઉભું રહેવું પડતું હતું અને જે ધક્કા મુક્કી થતી હતી. તેમાથી બચાવ થયો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir