બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhadravi Poonam fair: 2.75 lakh devotees visit Ma Amba on the first day itself

ભક્તોનું ઘોડાપૂર / ભાદરવી પૂનમનો મેળો: પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન, 'જય અંબે'ના નાદથી ગૂંજી ઉઠ્યું પરિસર

Last Updated: 10:55 AM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યાત્રાધામ અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ત્યારે મેળાનાં પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યાતા અનુભવી હતી. તેમજ 12 હજારથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આજે બીજા દિવસે હજુ પણ વધુ ભક્તો માતાજીનાં દર્શનાર્થે આવે તેવી શક્યતાઓ છે.

  • યાત્રાધામ અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર 
  • મેળાના પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ કર્યા માતાના દર્શન 
  • 12 હજારથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો 

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 23 થી 29 સપ્ટેમ્બર સુધી ચાલનારા ભાદરવી પૂનમનાં મેળાનો ગત રોજ પ્રારંભ થવા પામ્યો હતો.  ત્યારે આ મહામેળાની ગણનાં માત્ર ગુજરાત જ નહી પરંતું દેશભરમાં ભરાતા મોટા મેળાઓમાં થાય છે. તેમજ આ મેળામાં લાખો શ્રાદ્ધાળુઓ મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.  અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે.  યાત્રાધામ અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. મેળાનાં પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાનાં દર્શન કર્યા હતા. પ્રથમ દિવસે જ મંદિરને કુલ રૂા. 56 લાખ 38 હજારની આવક થવા પામી હતી. તેમજ મંદિરમાં ચડાવા રૂપે 6 ગ્રામ સોનાની પણ આવક થવા પામી છે. જ્યારે 12 હજારથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. જ્યારે ભક્તોને લાવવા લઈ જવા માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી અંબાજી આવતી એસટી બસોની કુલ 1415 ટ્રીપ થઈ હતી. તેમજ 1.48 લાખથી વધુ બોક્સ પ્રસાદનું વિતરણ થયું હતુ. 

1.48 લાખથી વધુ બોક્સ પ્રસાદનું વિતરણ
અંબાજી ખાતે ભાદરવી પૂનમનાં મેળામાં લાખો ભક્તા મા અંબાનાં દર્શન કરવા આવે છે.  અંબાજી માતાનાં પ્રસાદ મોહનથાળનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. ત્યારે ભક્તોને લાઈનમાં ન ઉભા રહેવું પડે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ્ર દ્વારા ડીઝીટલ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંદિર પરિસર ખાતે એક વેન્ડીંગ મશીન લગાવવામાં આવ્યું છે.  જેમાં અલગ અલગ પૈસા પ્રમાણે પ્રસાદનાં પેકીંગ મુકવામાં આવ્યા છે. ભક્તો દ્વારા કેટલા રૂપિયાનો પ્રસાદ લેતો તે પસંદ કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ કરતાની સાથે જ તરત જ તેટલા રૂપિયાનો પ્રસાદનો ડબ્બો બહાર આવી જાય છે.  જેથી ભક્તોને લાઈનમાં ઉભા રહેવું ન પડે. 

યાત્રીક

પહેલા લાઈનમાં ઉભા રહેવું પડતું હતું અને ધક્કા મુક્કી થતી હતી તેમાંથી બચાવ થયોઃ યાત્રીક
આ બાબતે એક યાત્રીકે જણાવ્યું હતું કે,  અંબાજી મંદિર ટ્ર્સ્ટ દ્વારા જે ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. તે ખૂબ જ સારી છે. ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ તરત જ પ્રસાદ મળી ગયો હતો.  ત્યારે આ જે ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે.  તે ખૂબ જ સારી છે. પહેલા લાઈનમાં ઉભું રહેવું પડતું હતું અને જે ધક્કા મુક્કી થતી હતી. તેમાથી બચાવ થયો.

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Ghodapoor of devotees Pilgrimage Ambaji Prasad અંબાજી પ્રસાદ ભક્તોનું ઘોડાપૂર યાત્રાધામ અંબાજી Ambaji
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ