બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Beware of these 4 symptoms that appear in the body!
Pooja Khunti
Last Updated: 01:00 PM, 1 February 2024
ખાવાની આદતોની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. ખોરાક માત્ર પેટ ભરવા માટે ન લેવો જોઈએ, પરંતુ તે શરીરને યોગ્ય પોષણ પૂરું પાડે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ખોરાકમાંથી શરીરને ઉર્જા મળે છે. ખોરાકને કારણે જ શરીરની સંપૂર્ણ કામગીરી યોગ્ય રીતે ચાલે છે. ખોરાકમાં જંક ફૂડ અને બહારની વસ્તુઓનો સમાવેશ કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. ઘણી વખત બહારના ખોરાકમાં જૂનું તેલ, વાસી શાકભાજી અને ખરાબ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે. ખોરાકની અસર શરીર પર તરત જ દેખાય છે. જો તમને તમારા શરીરમાં કેટલાક ખાસ લક્ષણો દેખાય છે, તો સમજી લો કે તમારે તમારી જીવનશૈલી બદલવાની જરૂર છે.
મોડી રાત્રે ઊંઘ ન આવવી
કેટલાક લોકો રાત્રે વહેલા સૂઈ શકતા નથી. ઘણી વખત કલાકો સુધી આંખો બંધ રાખવા છતાં ઊંઘ નથી આવતી. કેટલાક લોકો એવું વિચારે છે કે દિવસ દરમિયાન સૂવાથી રાત્રે વધારે ઊંઘ આવતી નથી. પરંતુ તેની પાછળનું મુખ્ય કારણ શરીરમાં કેફીનની વધતી જતી માત્રા હોઈ શકે છે. જો તમને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો સૌથી પહેલા આહાર પર ધ્યાન આપો. રાત્રે એનર્જી ડ્રિંક, ચોકલેટ કે કેફીનનું સેવન ન કરો.
ત્વચામાં શુષ્કતા વધવી
કેટલાક લોકોને ત્વચામાં શુષ્કતા વધી જાય છે. શરીરમાં પાણી ઓછું હોવાને કારણે આવું થઈ શકે છે. શરીર માટે ખોરાક જેટલું જ પાણી પણ મહત્ત્વનું છે. શરીરમાં ડીહાઈડ્રેશનને કારણે ત્વચા શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. ઘણીવાર લોકો ઓછું પાણી પીવે છે. જેના કારણે તેમને ડીહાઈડ્રેશન, ત્વચામાં શુષ્કતા, માથાનો દુ:ખાવો, ત્વચાના રંગમાં ફેરફાર અને ત્વચામાં તિરાડ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમારે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 4-5 લિટર પાણી પીવું જોઈએ.
વાંચવા જેવું: સમય પહેલા આવી જતા ઘડપણથી બચવું છે? તો આજથી જ તમારી આ કુટેવ સુધારી દેજો
અપચની સમસ્યા
કેટલાક લોકોને અચાનક જ ઝાડા, કબજિયાત અને અપચ જેવી સમસ્યાઓ થવા લાગે છે. તેનું મુખ્ય કારણ તમારી ખાવાની આદતો છે. જો તમને લાંબા સમયથી અપચની સમસ્યા હોય તો તમારે તમારા આહારમાં ફેરફાર કરવાની જરૂર છે. આ પ્રકારની સમસ્યાઓ ખોરાકમાં ફાઈબરની ઉણપને કારણે થાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તમારા આહારમાં ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારવું. તમારા આહારમાં સફરજન, કાકડી, નારંગી અને ગાજર અવશ્ય ખાઓ.
હંમેશા થાક લાગવો
જો તમે ઘણું બધું ખાધા પછી પણ થાક અનુભવો છો, તો તેનું મુખ્ય કારણ તમારો આહાર હોઈ શકે છે. જે લોકો મોટાભાગે ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડનું સેવન કરે છે, તેમના બ્લડ સુગરનું સ્તર વધી જાય છે. જ્યારે બ્લડ સુગરનું સ્તર ઘટે છે, ત્યારે વ્યક્તિ ખૂબ થાક અનુભવે છે. તેથી આવા ખોરાકનું સેવન કરવાથી બચવું જોઈએ. આ પ્રકારના ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો નથી હોતા. જેના કારણે વ્યક્તિ થાક અનુભવે છે. તેથી આહારમાં પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh