બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Megha
Last Updated: 04:21 PM, 6 May 2023
શરીરને હેલ્ધી રાખવા માટે ડાઇજેશન યોગ્ય હોય તે ખૂબ જરૂરી છે. આપણે ઘણી વખત હેલ્ધી સમજીને જે ખાઇએ છીએ તે પેટ ફૂલવાનું અને પેટમાં ગેસ ઉત્પન્ન કરવાનું કારણ બને છે. આ કારણે પેટના નીચેના ભાગમાં ટાઇટનેસ, પેટ ભરેલું લાગવું ફીલ થાય છે. આ કારણ છે પેટમાં વધુ માત્રામાં ગેસ બનવો કે ફ્લૂડ એકઠું થવું. આમ તો બ્લોટિંગનાં અનેક કારણો છે, જેમ કે તળેલું ખાવું, શાકભાજી જલદી જલદી ખાવાં કે પછી વધુ માત્રામાં ખાઇ લેવું, જોકે આ બધાં કારણોમાં એક કારણ એ પણ છે કે કેટલાંક શાકભાજી પેટને સૂટ કરતાં હોતાં નથી, જેમને રાતે ખાવાથી બ્લોટિંગની ફરિયાદ થાય છે. આવાં શાકભાજી રાતે ન ખાવામાં જ ભલાઇ છે.
બ્રોકલી:
બ્રોકલીમાં ઘણાં બધાં ન્યુટ્રિશન હોય છે. મોટા ભાગે લોકો તેને વેઇટલોસ માટે સલાડના રૂપમાં ખાય છે અથવા તેનો સૂપ બનાવીને પીએ છે. બ્રોકલીમાં રહેલું રાફિનોઝ નામનું તત્ત્વ તેને પચવામાં મુશ્કેલી ઊભી કરે છે. આ કારણે ગેસ અને બ્લોટિંગની ફરિયાદ ઊભી થાય છે. જો તમે રાતના સમયે બ્રોકલી ખાઇ લો છો તો પચવામાં સમય લાગે છે અને ગેસ કે બ્લોટિંગના લીધે આખી રાત તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય છે.
કોબીજ-ફ્લાવર:
કોબીજ અને ફ્લાવર આ બંને શાકભાજી રાતે ખાવાથી બચવું જોઇએ, તેનાથી બ્લોટિંગની ફરિયાદ રહે છે. કોબીજમાં સલ્ફારેન તત્ત્વ મળી આવે છે, જે ગેસ વધારે છે. કોબીજમાં રાફિનોઝ અને ફાઇબરની માત્રા વધુ હોય છે.
લસણ અને ડુંગળી:
લસણમાં ઘણા બધા મેડિસિન ગુણ હોય છે, જોકે રાતના સમયે તેને કાચું ખાવાની ભૂલ ન કરો, તેનાથી ગેસ અને બ્લોટિંગની સમસ્યા થઇ શકે છે.
બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ:
બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ એક શાકભાજી છે, જે ગોભીપત્તા જેવું દેખાય છે. નાના આકારનું આ શાકભાજી ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે, તેમાં ફાઇબરની માત્રા પણ વધુ હોય છે. આ શાકભાજીમાં રાફિનોઝની માત્રા પણ વધુ હોય છે તે પચવામાં મુશ્કેલ છે. તેથી તેને રાતે ન ખાવાં જોઇએ.
બટાકા:
બટાકા ઘણા લોકોનું ફેવરિટ શાક છે, પરંતુ જો તમે રાતના સમયે બટાકા ખાઓ છો તો પેટમાં ગેસ-બ્લોટિંગની સમસ્યા ઉદ્ભવે છે. બટાકાને ફ્રાય કરવાની સાથે જો તમે તેને ઉકાળી કે બાફી પણ ખાઓ છો તો પણ તે ડાઇજેસ્ટ થવામાં સમય લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir