બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / સ્પોર્ટસ / Cricket / BCCI issues medical update of Jasprit Bumrah and Shreyas Iyer, all but confirms their unavailability for WTC final
Hiralal
Last Updated: 04:47 PM, 15 April 2023
ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન શ્રેયસ અય્યર પર મેડિકલ અપડેટ જાહેર કર્યું છે. બીસીસીઆઇએ મેડિકલ અપડેટમાં કહ્યું છે કે, જસપ્રિત બુમરાહે ન્યૂઝીલેન્ડમાં તેની પીઠના નીચેના ભાગ પર સર્જરી કરાવી હતી, જે સફળ રહી હતી અને તે દર્દથી મુક્ત હતો. બુમરાહે શુક્રવારથી બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં પોતાનું રિહેબ મેનેજમેન્ટ શરૂ કરી દીધું છે, કારણ કે નિષ્ણાતે આ ફાસ્ટ બોલરને છ સપ્તાહની સર્જરી બાદ પોતાનું રિહેબ શરૂ કરવાની સલાહ આપી હતી.
Bumrah undergoes successful surgery, Shreyas scheduled for surgery next week
— ANI Digital (@ani_digital) April 15, 2023
Read @ANI Story | https://t.co/iZGyvkUBPO
#JaspritBumrah #BCCI #ShreyasIyer pic.twitter.com/WelZocEcuD
આવતા અઠવાડિયે શ્રેયસ અય્યરનું કમરનું ઓપરેશન
ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડી શ્રેયસ અય્યર અંગે પણ અપડેટ આપી છે. બોર્ડે કહ્યું છે કે, શ્રેયસ અય્યરને કમરના નીચેના ભાગમાં તકલીફ પડી છે અને આ કારણે આવતા સપ્તાહે તેની સર્જરી થવાની છે. પુનર્વસન માટે એનસીએ પાછા ફરતા પહેલા તે બે અઠવાડિયા સુધી સર્જનની દેખરેખ હેઠળ રહેશે. શ્રેયસ અય્યર આઈપીએલ 2023માંથી બહાર થઈ ગયો છે. તેઓ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી પણ રમી શક્યો નહોતો. ટીમ ઇન્ડિયા માટે એક પ્રકારના શાનદાર સમાચાર છે, કારણ કે બુમરાહ હવે એનસીએમાં જતો રહ્યો છે.
વર્લ્ડ કપ 2023 પહેલા બુમરાહના ફીટ થવાની આશા
જસપ્રિત બુમરાહ વર્લ્ડ કપ 2023 પહેલા ફિટ થઈ જશે તેવી આશા છે. જોકે, જસપ્રિત બુમરાહ મેદાન પર ક્યારે પરત ફરશે તે હજુ સ્પષ્ટ થયું નથી. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ઓક્ટોબરથી શરૂ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir