બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Banke Bihari's temple of Vrindavan is world famous

ધર્મ / વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં શ્રીકૃષ્ણને એકીટશે જોવાની મનાઈ, દર 5 મિનિટે પડી જાય છે પડદો, જાણો શું છે રહસ્ય

Malay

Last Updated: 09:53 AM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૃંદાવનના બાંકે બિહારી તો આખી દુનિયામાં પ્રચલિત છે. અહીં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. બાંકે બિહારીના દર્શન માત્રથી ભક્તો દુ:ખ દર્દ ભૂલી જાય છે અને તેઓ ભગવાનમાં ખોવાઈ જાય છે.

  • વૃંદાવનના બાંકે બિહારી તો આખી દુનિયામાં પ્રચલિત
  • વર્ષ 1860માં થયું હતું મંદિરનું નિર્માણ 
  • વર્ષમાં એક વખત જ એમના ચરણના થાય છે દર્શન

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો છે પણ ત્યાં એક ખાસ મંદિર આવેલ છે જેનું નામ છે બાંકે બિહારીનું મંદિર. જ્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. એવું કહેવામાં આવે છે કે ફક્ત એક વખત દર્શન કરવાથી અને ત્યાં પૂજા કરવાથી લોકોનું જીવન સફળ થઈ જાય છે. આજે અમે તમને એ મંદિરનું મહત્વ જણાવવા જઈ રહ્યા છીએ. 

નિર્માણ 
આ મંદિરનું નિર્માણ વર્ષ 1860માં થયું હતું અને એ મંદિર રાજસ્થાની વાસ્તુકળાનો એક નમૂનો છે. બાંકે બિહારીની મૂર્તિ સ્વામી હરીદાસજીએ નિધિ વનમાંથી શોધી હતી. વર્ષ 1921માં સ્વામી હરીદાસજીના અનુયાયીઓએ આ મંદિરનું પુનઃનિર્માણ કર્યું હતું. 

કેવી રીતે પડ્યું નામ? 
બાંકે એટલે ત્રણ ખૂણાથી વાળેલું, હકીકતમાં આ મૂર્તિમાં કૃષ્ણ ભગવાન વાંસળી વગાડવાની મુદ્રામાં બેઠા છે અને તેમણાં બંને પગ વળેલા છે અને એમના હાથ પણ વાંસળી વગાડવા માટે વળેલ છે સાથે જ એમનો ચહેરો પણ થોડો નમેલો છે. 

આ દિવસે થાય છે ચરણના દર્શન  
આ મંદિરમાં એમની કાળા રંગની પ્રતિમા છે. એવું કહેવામાં આવે છે આ મૂર્તિમાં શ્રી કૃષ્ણ અને રાધા બંને સમાયેલ છે. એટલા માટે એમના દર્શનથી જ રાધા-કૃષ્ણ બંનેના આશીર્વાદ મળી રહે છે. વૈશાખ મહિનાની ત્રીજ કે જેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે એ દિવસે વર્ષમાં એક વખત જ એમના ચરણના દર્શન થાય છે. એ દિવસે એમના ચરણના દર્શન કરવા લાખો લોકો ત્યાં પંહોચે છે. 

પડદામાં રાખવામાં આવે છે 
એવી માન્યતા છે કે એક વખત એક ભક્ત ભગવાનના દર્શન કરવા માટે આવ્યો હતો અને ભગવાન સામે એકીટસે કલાકો સુધી જોતો રહ્યો હતો. ભગવાન ખુશ થઈ ગયા હતા અને તેની સાથે તેના ગામડે ચાલ્યા ગયા હતા. જ્યારે મંદિરના સ્વામીજીને ખબર પડી ત્યારે તેઓ તેમની પાછળ ગયા અને ઘણી મથામણ પછી બાંકે બિહારીને પાછા લાવ્યા હતા. એ સમય પછીથી દર્શન કરવા માટે આવતા ભક્તો માટે વારંવાર દર્શન ખોલવા અને બંધ કરવાની પ્રથા બનાવવામાં આવી હતી અને ભગવાનને થોડા સમયાંતરે પડદામાં રાખવામાં આવે છે. 

માન્યતા 
શ્રી હરીદાસજી હંમેશા કૃષ્ણ ભક્તિમાં ડૂબેલા રહેતા  અને નિધિવનમાં બેસીને એમની આરાધના કરી ભગવાનને પ્રસન્ન કરવાની કોશિશ કરતાં હતા. એમના સંગીતમી ભક્તિભાવથી ભગવાન ઘણી વખત પ્રસન્ન પણ થતાં હતા, એક વખત એમના શિષ્યએ કહ્યું કે અમારે પણ ભગવાનના દર્શન કરવા છે, મહેરબાની કરીને અમને પણ એમના દર્શનનો લાભ ઉઠાવવા દો . એ સમયે હરિદાસજી ફરી એક વખત ભક્તિમાં લીન થઈ ગયા હતા અને એ સમયે ત્યાં રાધા અને કૃષ્ણ બંને એક સાથે દર્શન દેવા માટે પ્રગટ થયા હતા. 

એ સમયે હરિદાસજીની ભક્તિથી પ્રસન્ન થઈને બંને એ એમની પાસે રહેવાની ઈચ્છા પ્રગટ કરી હતી ત્યારે હરિદાસજી એ કહ્યું હતું પ્રભુને તો લંગોટ પહેરાવી મારી પાસે રાખી લઇશ પણ માતા ને પહેરાવવા માટે મારી પાસે કોઈ આભૂષણ નથી. એ સમયે બંને એક થઈ ગયા અને ત્યાં એમની પ્રતિમા પ્રગટ થઈ હતી. 

દરરોજ જામે છે ભક્તોની ભારે ભીડ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ