બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Malay
Last Updated: 09:53 AM, 26 February 2023
ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો છે પણ ત્યાં એક ખાસ મંદિર આવેલ છે જેનું નામ છે બાંકે બિહારીનું મંદિર. જ્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. એવું કહેવામાં આવે છે કે ફક્ત એક વખત દર્શન કરવાથી અને ત્યાં પૂજા કરવાથી લોકોનું જીવન સફળ થઈ જાય છે. આજે અમે તમને એ મંદિરનું મહત્વ જણાવવા જઈ રહ્યા છીએ.
નિર્માણ
આ મંદિરનું નિર્માણ વર્ષ 1860માં થયું હતું અને એ મંદિર રાજસ્થાની વાસ્તુકળાનો એક નમૂનો છે. બાંકે બિહારીની મૂર્તિ સ્વામી હરીદાસજીએ નિધિ વનમાંથી શોધી હતી. વર્ષ 1921માં સ્વામી હરીદાસજીના અનુયાયીઓએ આ મંદિરનું પુનઃનિર્માણ કર્યું હતું.
Banke Bihari temple, Vrindavan is one of the powerful & blissful temples of Shri Krishna. Worshipped as a small child here, bells are not used to wake Krishna in morning. Brajwasis wakes Kanha gently like a child. It is said that Thakurji visits Nidhivan at midnight daily. pic.twitter.com/2V3JhMiMrb
— Anu Satheesh 🇮🇳 (@AnuSatheesh5) February 17, 2022
કેવી રીતે પડ્યું નામ?
બાંકે એટલે ત્રણ ખૂણાથી વાળેલું, હકીકતમાં આ મૂર્તિમાં કૃષ્ણ ભગવાન વાંસળી વગાડવાની મુદ્રામાં બેઠા છે અને તેમણાં બંને પગ વળેલા છે અને એમના હાથ પણ વાંસળી વગાડવા માટે વળેલ છે સાથે જ એમનો ચહેરો પણ થોડો નમેલો છે.
આ દિવસે થાય છે ચરણના દર્શન
આ મંદિરમાં એમની કાળા રંગની પ્રતિમા છે. એવું કહેવામાં આવે છે આ મૂર્તિમાં શ્રી કૃષ્ણ અને રાધા બંને સમાયેલ છે. એટલા માટે એમના દર્શનથી જ રાધા-કૃષ્ણ બંનેના આશીર્વાદ મળી રહે છે. વૈશાખ મહિનાની ત્રીજ કે જેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે એ દિવસે વર્ષમાં એક વખત જ એમના ચરણના દર્શન થાય છે. એ દિવસે એમના ચરણના દર્શન કરવા લાખો લોકો ત્યાં પંહોચે છે.
પડદામાં રાખવામાં આવે છે
એવી માન્યતા છે કે એક વખત એક ભક્ત ભગવાનના દર્શન કરવા માટે આવ્યો હતો અને ભગવાન સામે એકીટસે કલાકો સુધી જોતો રહ્યો હતો. ભગવાન ખુશ થઈ ગયા હતા અને તેની સાથે તેના ગામડે ચાલ્યા ગયા હતા. જ્યારે મંદિરના સ્વામીજીને ખબર પડી ત્યારે તેઓ તેમની પાછળ ગયા અને ઘણી મથામણ પછી બાંકે બિહારીને પાછા લાવ્યા હતા. એ સમય પછીથી દર્શન કરવા માટે આવતા ભક્તો માટે વારંવાર દર્શન ખોલવા અને બંધ કરવાની પ્રથા બનાવવામાં આવી હતી અને ભગવાનને થોડા સમયાંતરે પડદામાં રાખવામાં આવે છે.
માન્યતા
શ્રી હરીદાસજી હંમેશા કૃષ્ણ ભક્તિમાં ડૂબેલા રહેતા અને નિધિવનમાં બેસીને એમની આરાધના કરી ભગવાનને પ્રસન્ન કરવાની કોશિશ કરતાં હતા. એમના સંગીતમી ભક્તિભાવથી ભગવાન ઘણી વખત પ્રસન્ન પણ થતાં હતા, એક વખત એમના શિષ્યએ કહ્યું કે અમારે પણ ભગવાનના દર્શન કરવા છે, મહેરબાની કરીને અમને પણ એમના દર્શનનો લાભ ઉઠાવવા દો . એ સમયે હરિદાસજી ફરી એક વખત ભક્તિમાં લીન થઈ ગયા હતા અને એ સમયે ત્યાં રાધા અને કૃષ્ણ બંને એક સાથે દર્શન દેવા માટે પ્રગટ થયા હતા.
એ સમયે હરિદાસજીની ભક્તિથી પ્રસન્ન થઈને બંને એ એમની પાસે રહેવાની ઈચ્છા પ્રગટ કરી હતી ત્યારે હરિદાસજી એ કહ્યું હતું પ્રભુને તો લંગોટ પહેરાવી મારી પાસે રાખી લઇશ પણ માતા ને પહેરાવવા માટે મારી પાસે કોઈ આભૂષણ નથી. એ સમયે બંને એક થઈ ગયા અને ત્યાં એમની પ્રતિમા પ્રગટ થઈ હતી.
દરરોજ જામે છે ભક્તોની ભારે ભીડ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh