બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 11:15 PM, 5 March 2024
માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે. ડીસા પંથકમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બટાટા અને સક્કરટેટીના પાકનો સોથ વળી જતા ધરતીપૂત્રોની ચિંતા વધી છે. છેલ્લા ત્રણ દિવસથી પલટાયેલું વાતાવરણ ખેડૂતોનું વેરી બન્યું છે.
કમોસમી વરસાદથી પાકનો સોથ વાળી ગયો
બનાસકાંઠા જિલ્લાના ડીસા, ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ખાબકેલા એક ઈંચ વરસાદે ખેડૂતોના તૈયાર પાકનો સોથ વાળી દીધો છે. ખેડૂતોનો બટાટાનો પાક તૈયાર થઈ ગયો હતો. અને ખેતરમાં બટાટાના ઢગલા કરીને રાખ્યા હતા.પરંતુ કમોસમી વરસાદ વેરી બનીને ત્રાટક્યો.ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના બટાટાના પાકને 20થી 30 ટકા જેટલું નુકસાન થયું છે. ખેડૂતોના બટાટા કોઈ લેવા તૈયાર નથી. જેથી મોંઘાભાવના બિયારણ લાવી કરેલું બટાટાનું વાવેતર માથે પડ્યું છે...એટલું જ નહીં ખેડૂતોના સક્કરટેટીના પાકને પણ મોટું નુકસાન થયું છે.જેને કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.
નુકસાનીનું વળતર ચુકવવા માંગ
ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને સરકાર પણ એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.જેમાં માવઠાથી થેયલી નુકસાની પર ચર્ચા કરવામાં આવી હતી. માવઠાથી રાજ્યના ચાર જિલ્લામાં નુકસાની થઈ હોવાની પ્રાથમિક વિગતો કેબિનેટમાં રજૂ કરાઈ હતી. જેથી આ ચાર જિલ્લામાં વિસ્તૃત સરવે કરાવવા નિર્દેશ કરાયો છે. જેના આધારે ભવિષ્યમાં સહાય અંગે નિર્ણય કરવામાં આવશે. જોકે ખેડૂતોની માગ છે કે, વહેલીતકે સરવે કરીને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે. ત્યારે હવે ક્યારે સરવે પૂર્ણ થશે અને ક્યારે ખેડૂતોને સહાય ચૂકવાશે તે જોવું રહ્યું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh