બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Atiq Ashraf Ahmed Murder mystery of the Atiq-Ashraf murder case will be revealed! three accused have been sent to 4-day police remand

રહસ્ય ખુલશે / VIDEO: અતિકના શૂટર ક્યાંક પોતે ન થઈ જાય શૂટ! અભેદ્ય સુરક્ષામાં કોર્ટમાં કરાયા હાજર, 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

Pravin Joshi

Last Updated: 02:09 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતીક અશરફ અહેમદ મર્ડરઃ પોલીસે અતીક અને અશરફની હત્યામાં સામેલ ત્રણ હુમલાખોરોને કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસની માંગણી સ્વીકારી કોર્ટે આરોપીઓને રિમાન્ડ પર મોકલી આપ્યા છે.

  • અતીક-અશરફની હત્યાના ત્રણ આરોપીઓના પોલીસ રિમાન્ડ મંજૂર 
  • ત્રણેય આરોપીઓને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા 
  • રિમાન્ડ બાદ આરોપીઓને 23 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

પ્રયાગરાજની સીજેએમ કોર્ટે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના ત્રણ આરોપીઓના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્રણેય આરોપીઓને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જો કે SITએ 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે માત્ર 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડમાં પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે આરોપીઓએ હત્યા માટેના હથિયારો ક્યાંથી મેળવ્યા અને કોણે આપ્યા. આ સાથે હત્યા કયા કારણોસર કરવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવશે. આરોપીઓને 23 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બુધવારે સવારે જ્યારે કોર્ટ ખુલી ત્યારે પોલીસે અતીક-અશરફની હત્યા કરનારા ત્રણ હુમલાખોરોને કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્રણેય આરોપીઓને પ્રતાપગઢ જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા હતા.

કોર્ટ સંકુલ કેન્ટોનમેન્ટમાં ફેરવાયું

અતીકના હત્યારાઓને ઝડપી લેવા કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટ સંકુલ સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગયું હતું. યુપી પોલીસને પ્રથમ બે સ્તરોમાં તૈનાત કરવામાં આવી હતી જ્યારે આરએએફને આંતરિક વર્તુળમાં સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. અને તેની અંદર આરએએફ તૈનાત કરવામાં આવી છે. કોર્ટની અંદર સમગ્ર કાર્યવાહી રેકોર્ડ કરવામાં આવી હતી. સુનાવણી બાદ ત્રણેય આરોપીઓને રિઝર્વ પોલીસ લાઈનમાં લઈ જવામાં આવ્યા હતા.

અતીક-અશરફનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલની રાત્રે પ્રયાગરાજમાં કોલવિન હોસ્પિટલની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંને ભાઈઓ ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ કસ્ટડીમાં હતા અને તેમને ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે અતીક અને અશરફ હોસ્પિટલની બહાર મીડિયા સાથે અનૌપચારિક વાતચીત કરી રહ્યા હતા ત્યારે પત્રકારોના વેશમાં આવેલા હુમલાખોરોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ હુમલાખોરો લવલેશ તિવારી, અરુણ કુમાર મૌર્ય અને સનીની ધરપકડ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ