બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Astro Tips wednesday remedies for success and happiness

Astro Tips / ધંધામાં થઇ રહ્યું છે નુકસાન? તો દર બુધવારે અચૂકથી કરો આ કાર્ય, વેપારમાં થશે તગડો નફો

Arohi

Last Updated: 10:39 AM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astro Tips: આજે બુધવારના દિવસે શુભ ફળોની પ્રાપ્તિ માટે અમુક ખાસ ઉપાય કરવા જોઈએ. બુધવારના દિવસે આ ઉપાય કરવાથી વેપારમાં નફો થવાની સાથે જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થશે.

  • બુધવારના દિવસે કરો આ ઉપાય 
  • વેપારમાં થશે નફો 
  • થશે શુભ ફળોની પ્રાપ્તી 

અઠવાડિયામાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત હોય છે. આ દિવસે ગણપતિજીની પૂજા વિધિવિધાનથી કરવાથી વ્યક્તિના દરેક કાર્ય પુરા થઈ જાય છે. સાથે જ સફળતાનો રસ્તો રસળ બને છે. તેની સાથે જો તમે જીવનમાં કોઈ મુશ્કેલીઓ સામે ઝઝુમી રહ્યા છો તો બુધવારના દિવસે આ જ્યોતિષિ ઉપાયોને જરૂર કરો. 

સુખ-સમૃદ્ધિ માટે 
પોતાના ઘરની સુખ-સમૃદ્ધિ માટે પોતાના પરિવારને દરેક ખરાબ નજરથી બચાવવા માટે આજે તમને એક નાનકડુ માટીનું વાસણ લેવું જોઈએ. હવે આ વાસણમાં મધ નાખી તેના પર ઢાકણ બંધ કરી લો. આ પ્રકારે માટીના વાસણમાં મધ નાખીને તેના પર ઢાકણ લગાવીને તેને મંદિર કે કોઈ ધર્મ સ્થળ પર મુકી આવો. 

વ્યાપારમાં લાભ માટે 
જો તમને વ્યાપારમાં પૈસાની સતત હાની થઈ રહી છે અથવા તો વ્યાપારમાં તમને લાભ નથી મળી રહ્યો અથવા તો તેનાથી તમે કંઈ નવું કરવાનું વિચારી નથી શકતા, તમારૂ મનોબળ ઓછુ થતુ જઈ રહ્યું છો તો તેના માટે તમે કોઈ પણ નવું કામ શરૂ કરવા પહેલા પોતાની પાસે 2 લાલ ફૂલ રાખી લો અને જ્યારે કામ થઈ જાય તો તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. 

બિઝનેસ યાત્રાથી લાભ માટે 
જો તમે પોતાની વ્યવસાયિક યાત્રાથી અર્થિત લાભ મેળવવા માંગો છો તો આજે એક કેસરી ડબ્બો લઈને તેને ભગવાનના ચરણોને સ્પર્શ કરી પોતાની પાસે રાખી લો અને જ્યારે ક્યારેક તમે કોઈ વ્યવસાયિક યાત્રાથી બહાર જશો તો તે કેસરથી પોતાના માથા પર તિલક લગાવીને જાઓ. 

કામમાં કુશળતા મેળવવા માટે 
જો તમે પોતાના કામમાં કુશળતા મેળવવા માંગો છો તો આજે પોતાના ગુરૂ કે કોઈ મંદિરના પુજારીના આશીર્વાદ લેવા જોઈએ તેમને લાલ રંગની કોઈ વસ્તુ ભેટ કરવી જોઈએ. 

બાળકોના અભ્યાસ માટે 
જો તમારા બાળકો અભ્યાસમાં મન નથી લગાવી રહ્યા અથવા તો તે જે વાંચે છે તેમને યાદ નથી રહેતું તો આજે તમે લાલ ફૂલના છોડને ઘરમાં લગાવી તેની દેખરેખ કરી શકો છો. 

ઓફિસમાં સ્ટ્રેસ હોય તો 
જો તમારી સાથે એવું થઈ રહ્યું છે કે ઓફિસમાં સતત કોઈ કામને લઈને તમારા પર પ્રેશર આપવામાં આવી રહ્યું છે જેના કારણે તમે માનસિક રીતે ડિસ્ટર્બ થઈ રહ્યા છે તો આજે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં કેરીના સાત પાન લો. તેને પોતાના ઘરમાં સાફસુથરી જગ્યાઓ પર રાખો ત્યારે બાદ 21 દિવસ સુધી તેની પૂજા કરો. 21માં દિવસે તેને રોઈ કેરીના ઝાડની નીચે મુકી દો. 

સુખ-સુવિધાઓ માટે 
જો તમારા ઘરમાં સુખ-સુવિધાઓમાં સતત કમી આવી રહી છે જેનાથી તમે ખૂબ વધારે પરેશાન રહો છો તો તેના માટે એક લોખંડના વાસણમાં જળ, ખાંડ, દૂધ અને ઘી મીક્સ કરીને કેરીના ઝાડના મૂળમાં જળ અર્પિત કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ