બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / astro tips of wheat flour to get rid from financial crisis according to vedic science

Money tips / ખિસ્સામાં નથી ટકતા પૈસા! તો અપનાવો ઘઉંના લોટના આ 4 જ્યોતિષી ઉપાય, દૂર થશે આર્થિક સમસ્યા

Manisha Jogi

Last Updated: 10:39 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક જ્યોતિષ અનુસાર આ વસ્તુઓના ઉપયોગથી આર્થિક સમસ્યાથી છુટકારો પણ મળે છે. ઘઉંના લોટના ઉપાય કરીને નાણાંકીય સમસ્યાથી છુટકારો કેવી રીતે મળી શકે તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • આ વસ્તુઓના ઉપયોગથી આર્થિક સમસ્યાથી છુટકારો મળશે
  • વૈદિક જ્યોતિષ અનુસાર અપનાવો આ ઉપાય
  • નાણાંકીય આવકના સ્ત્રોત ઊભા થશે

 રસોડામાં ખાવા પીવાની અનેક વસ્તુઓ એવી હોય છે, જેનો જીવનની આવનારી સમસ્યા માટે ઉપયોગ કરવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર આ વસ્તુઓના ઉપયોગથી આર્થિક સમસ્યાથી છુટકારો પણ મળે છે. ઘઉંના લોટના ઉપાય કરીને નાણાંકીય સમસ્યાથી છુટકારો કેવી રીતે મળી શકે તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

નાણાંકીય તંગી દૂર કરવાના ઉપાય- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારી પાસે પૈસા ટકતા ના હોય અને ઘરમાં ઝઘડા થતા હોય તો ઘઉંનો લોટ દળાવતા પહેલા તેમાં 100 ગ્રામ કાળા ચણા, 100 ગ્રામ તુલી અને કેસરના બે રેશા નાખી દેવા. આ તમામ વસ્તુ મિશ્ર કરીને શનિવારના દિવસે જ લોટ દળાવવો. આ લોટનો ઉપયોગ રોટલી બનાવવામાં કરો. આ ઉપાયથી ઘરમાં નાણાંકીય સમસ્યા દૂર થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. ઘરમાં તણાવપૂર્ણ માહોલ દૂર થશે. 

હાથમાં પૈસા ટકીને રહેશે- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા હાથમાં પૈસા ટકીને ના રહેતા હોય તો  ઘઉંના લોટમાં હળદર મિશ્ર કરો. ગુરુવારના દિવસે આ લોટ ગાયને ખવડાવી દો. આ ઉપાયથી તમારી પાસે ધન ટકીને રહેશે અને નકારાત્મક ઊર્જા દૂર થશે. ધનની આવક થશે. કીડીઓને પણ નિયમિતરૂપે લોટ ખવડાવી શકો છો.

દેવામુક્તિથી ઉપાય- શાસ્ત્રો અનુસાર જો તમે દેવામાં ડૂબી ગયા છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો, ઘઉંના લોટની રોટલી બનાવીને તેના પર સરસિયાનું તેલ લગાવો. આ રોટલી શનિવારે કાળા શ્વાનને ખવડાવી દો. જેથી દેવામાંથી છુટકારો મળશે અને મનોકામના પૂર્ણ થશે. 

સમસ્યા દૂર થશે- તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો દર શનિવારે સવારે 10 વાગ્યે લોટ અથવા માટીનો ઘીનો દીવો કરીને પીપળાના ઝાડ પાસે મુકી દો. જેથી નાણાંકીય સમસ્યા દૂર થશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ