બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Asta Graha also gives auspicious and inauspicious influence on life

જ્યોતિષ શાસ્ત્ર / શું તમારી પણ આ રાશિ છે? તો સાવધાન રહેજો! એક મહિના સુધી પડી શકે અનેક મુશ્કેલી

Pooja Khunti

Last Updated: 10:53 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ ગ્રહનો અસ્ત સારો માનવામાં આવતો નથી કારણ કે અસ્ત થવાથી ગ્રહની શક્તિ નબળી પડી જાય છે. જો કે અસ્ત ગ્રહ પણ જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે.

  • આ લોકોને ભાગ્યની કૃપા ભાગ્યે જ મળશે
  • આ લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે
  • ઘરમાં ઝઘડા અને તણાવ થઈ શકે છે

બુધને બુદ્ધિ આપનાર અને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે. હાલ બુધ, મકર રાશિમાં ગોચર છે. તેણે 1 ફેબ્રુઆરીએ ગોચર કરીને મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. બુધનું ગોચર તમામ લોકોના નાણાકીય જીવન, કારકિર્દી, વાણી, બુદ્ધિ અને વાતચીતને અસર કરશે. પરંતુ હવે 8 ફેબ્રુઆરીએ બુધ મકર રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. કોઈપણ ગ્રહનો અસ્ત સારો માનવામાં આવતો નથી કારણ કે અસ્ત થવાથી ગ્રહની શક્તિ નબળી પડી જાય છે. જો કે અસ્ત ગ્રહ પણ જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે. બુધ 8 ફેબ્રુઆરીએ અસ્ત થશે અને 11 માર્ચે વધશે. આ રીતે, બુધ લગભગ 1 મહિના સુધી મકર રાશિમાં અસ્થ સ્થિતિમાં રહેશે. અસ્થ બુધ 3 રાશિઓ માટે અશુભ પરિણામ આપી શકે છે. તેથી આ લોકોએ આ સમય દરમિયાન થોડી સાવચેતી રાખવાની જરૂર છે. 

મેષ રાશિ 
મેષ રાશિના લોકો માટે બુધનું અસ્થ થવું સારું માનવામાં નથી આવતું. આ લોકોને ભાગ્યની કૃપા ભાગ્યે જ મળશે. કામ પૂર્ણ થવા માટે તમારે રાહ જોવી પડી શકે છે. કાર્યસ્થળ પર થોડી સાવધાની રાખવાની જરૂર છે. નોકરી સંબંધિત કોઈપણ નિર્ણય કાળજીપૂર્વક લો. એકાગ્રતાનો અભાવ અને વાણીમાં કડવાશ નુકસાન પહોંચાડી શકે છે. આર્થિક નુકસાન થવાની સંભાવના છે. મુસાફરી દરમિયાન નુકસાન પણ થઈ શકે છે. વ્યવસાયમાં તમારા પ્રતિસ્પર્ધીઓ તમારા પર પ્રભુત્વ મેળવી શકે છે. 

મિથુન રાશિ  
મિથુન રાશિના જાતકોને બુધ અસ્ત થવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. પારિવારિક અથવા સ્વાસ્થ્યના સ્તરે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ભાગીદારીમાં વેપાર કરનારાઓએ સાવધાનીથી કામ કરવું જોઈએ. નુકશાન થવાની શક્યતાઓ છે. વેપારમાં પણ તમારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકો પણ ફસાયેલા અનુભવી શકે છે. કામનો બોજ રહેશે. સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે.

વાંચવા જેવું: આર્થિક તંગીથી શું તમે પરેશાન છો? તો ઘરની 5 જગ્યાએ મૂકી દો આ સફેદ ચીજ, તિજોરી રહેશે છલોછલ

સિંહ રાશિ  
બુધ અસ્થ હોવાથી સિંહ રાશિના લોકોને નુકસાન થઈ શકે છે. તમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે. રોકાણ કે વ્યવહાર સમજી વિચારીને કરો. નોકરીમાં તમને નવી તકો મળી શકે છે પરંતુ તેને સમજી વિચારીને અપનાવો. કાર્યક્ષેત્રમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારા કામનો શ્રેય અન્ય કોઈને મળી શકે છે. ઘરમાં ઝઘડા અને તણાવ થઈ શકે છે. તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ