બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ભારત / Article 370 was a stigma, I wanted to erase it PM Modi's article after Supreme Court's historic judgment
Megha
Last Updated: 11:31 AM, 12 December 2023
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને એક લેખ લખ્યો છે, જેમાં પીએમ મોદીએ કલમ 370 ને એક કલંક ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 11 ડિસેમ્બરે ભારતની સુપ્રીમ કોર્ટે કલમ 370 અને 35 (A) નાબૂદ કરવા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો. સર્વોચ્ચ અદાલતે આ ઔતિહાસિક ચુકાદા સાથે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને સમર્થન આપ્યું છે, જેનો દરેક ભારતીય આદર કરે છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ લેવાયેલો નિર્ણય બંધારણીય એકીકરણને વધારવા માટે હતો. અમે 370, 35Aના કલંકને ભૂંસી નાખવા માંગીએ છીએ કારણ કે જમ્મુ-કાશ્મીરની પ્રગતિના માર્ગમાં આ અવરોધો હતા, જેને અમે દૂર કર્યા છે.'
आर्टिकल 370 और 35(A) पर सुप्रीम कोर्ट के फैसले से ‘एक भारत, श्रेष्ठ भारत’ की भावना और मजबूत हुई है।
— Narendra Modi (@narendramodi) December 12, 2023
जम्मू, कश्मीर और लद्दाख में आए बदलाव पर पढ़िए मेरा यह आलेख...https://t.co/UBcwLqo8OA
પીએમ મોદીએ લખ્યું કે, ' જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ એવી જગ્યાઓ છે જે દરેક લોકોને તેની તરફ આકર્ષિત કરે છે. આ જગ્યા પર હિમાલય આભ સુધી પંહોચતુ દેખાય છે અને અહીંના નદી અને ઝરણાંઓનું પ્રાચીન પાણી સ્વર્ગને પ્રતિબિંબિત કરે છે. પરંતુ અહીં છેલ્લા સાત દાયકાઓથી હિંસા અને અસ્થિરતાનું સૌથી ખરાબ રૂપ જોવા મળ્યું છે અને અંહી રહેતા લોકો આવી હિંસાના હકદાર નથી.
પીએમ મોદીએ આગળ લખ્યું, 'આઝાદીના સમયે આપણી પાસે રાષ્ટ્રીય એકતા માટે નવી શરૂઆત કરવાનો વિકલ્પ હતો. તેના બદલે આપણે મૂંઝવણભર્યો અભિગમ ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું. મને મારા જીવનકાળની શરૂઆતથી જ જમ્મુ-કાશ્મીર ચળવળ સાથે જોડાયેલા રહેવાની તક મળી. મારી માટે જમ્મુ અને કાશ્મીર માત્ર રાજકીય મુદ્દો નથી. મને હંમેશાથી મનમાં હતું કે જમ્મુ-કાશ્મીરમાં જે પણ થયું તે આપણા દેશ અને ત્યાં રહેતા લોકો સાથે મોટો વિશ્વાસઘાત છે. મારી ઈચ્છા હતી કે આ કલંક અને લોકો સાથે થયેલા આ અન્યાયને ભૂંસી નાખવા માટે મારાથી જે થતું હશે એ બધુ જ કરીશ.'
Today's Supreme Court verdict on the abrogation of Article 370 is historic and constitutionally upholds the decision taken by the Parliament of India on 5th August 2019; it is a resounding declaration of hope, progress and unity for our sisters and brothers in Jammu, Kashmir and…
— Narendra Modi (@narendramodi) December 11, 2023
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે 'હું હંમેશા જમ્મુ-કાશ્મીરના લોકોની તકલીફ ઘટાડવા માટે કામ કરવા માંગતો હતો. ખૂબ જ મૂળભૂત શબ્દોમાં, કલમ 370 અને 35(A) ભારે અવરોધો હતા અને તેના પરિણામે સૌથી વધુ પીડિત ગરીબ અને દલિત લોકો હતા. ઘણા લોકોએ એવું સુનિશ્ચિત કર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના લોકોને ક્યારેય એવા અધિકારો અને વિકાસ ન મળે જેટલો તેમના બાકીના સાથી ભારતીયોએ કર્યો હતો. આ આર્ટીકલને કારણે એક જ રાષ્ટ્રના લોકો વચ્ચે અંતર સર્જાયું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir