બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / Application case in High Court regarding 9 missing Gujaratis going to America
Malay
Last Updated: 10:29 AM, 21 October 2023
ડોમિનિકાથી એન્ટિગુઆ જતા 9 ગુજરાતીઓ લાપતા થઈ ગયા છે. તેઓનો કોઈ અત્તપત્તો ન મળતા તેમના પરિવારજનો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે આ મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેના પર ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માયીની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે વિદેશ મંત્રાલયની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી તથા સોગંદનામાને લઇ હાઈકોર્ટે વિદેશ મંત્રાલયની ઝાટકણી કાઢી હતી.
વિદેશ મંત્રાલયે રજૂ કર્યું હતું સોગંદનામું
જાહેરહિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે ગુમ થયેલા લોકોની હજુ સુધી કોઇ માહિતી મળી નથી. કેરેબિયન રિજનમાં તમામ પ્રયાસો છતાં કોઈ માહિતી મળી નથી. આ સોગંદનામાને લઈને હાઈકોર્ટે વિદેશ મંત્રાલયની ઝાટકણી કાઢી હતી.
'આ રીતે તમે કોર્ટની મશ્કરી કરી રહ્યા છો?'
સોગંદનામા પર હાઈકોર્ટે કહ્યું કે, આ કોઇ મજાક ચાલી રહી છે? તમે શું પ્રયત્નો કર્યા? તમે માત્ર જે તે દેશમાં પત્રો જ લખ્યા કરો છો, ગેરકાયદે પ્રવેશતા લોકોને જ્યાં રખાય છે ત્યાં કોઇ તપાસ કરી?, તેઓ કોઇ જેલમાં બંધ છે અથવા તેમને અટકમાં લેવાયા છે તેની તપાસ કરવા અંગેની કોઇ તજવીજ હાથ ધરી છે?, કોઇ પણ વિગતો વિનાનો રિપોર્ટ કોર્ટ સમક્ષ કેમ રજૂ કરો છો?’
રિપોર્ટમાં કોઈ સ્પષ્ટ કોમ્યુનિકેશન્સ નથીઃ HC
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માયીની ખંડપીઠે સુનાવણી દરમિયાન નોંધ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચોક્કસ જવાબ સાથેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરાયો નથી. આ રિપોર્ટમાં કોઇ સ્પષ્ટ કોમ્યુનિકેશન્સ નથી, તે ઉપરાંત તેમણે જે પત્રાચાર કર્યો છે એમાં શું જવાબ મળ્યા એ પણ જણાવ્યું નથી. આ સાથે જ ખંડપીઠે સરકારને સુધારો કરવા માટે છેલ્લી તક આપી હતી, આ મામલે વધુ સુનાવણી હવે 29 નવેમ્બરે હાથ ધરાશે.
અમેરિકા જતા રસ્તામાં 9 ગુજરાતીઓ લાપતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા 9 લોકો ગાયબ થઈ ગયા છે. તેઓ ગુજરાતથી ડોમિનિકા પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ એન્ટિગુઆ માટે નીકળ્યા હતા. એન્ટિગુઆની એક બોટમાં તેમને ડોમિનિકાથી બેસાડીને લઇ જવાયા હતા. જોકે, હવે તેઓનો કોઈ અત્તોપત્તો જ નથી. જેથી આ મામલે 9 ગુજરાતીઓના પરિવારજનોએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓની પાસે માન્ય વિઝા છે, નવ વ્યક્તિના જીવ જોખમમાં છે અને સરકાર કોઇ પણ પ્રકારની મદદ કરી રહી નથી.
આ નવ લોકો થઈ ગયા છે લાપતા
- અંકિતકુમાર પટેલ
- કિરણકુમાર પટેલ
- અવનીબેન પટેલ
- સુધીરકુમાર પટેલ
- પ્રતિકભાઇ પટેલ
- નિખિલકુમાર પટેલ
- ભરતભાઇ રબારી
- ચંપાબેન વસાવા
- ધ્રુવરાજસિંહ વાઘેલા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh