બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Another recruitment scam! Allegation of illegal recruitment of water supply board in Morbi
Malay
Last Updated: 02:57 PM, 6 June 2023
ગુજરાતમાં વધુ એક ભરતીમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોરબી પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં કૌભાંડ થયાનો આક્ષેપ રાજકોટના અગ્રણી બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો છે. બિલ્ડર દ્વારા પાણી પુરવઠા વિભાગની ભરતીને લઈને કરવામાં આવેલી RTIમાં મોરબી પેટા કચેરી વિભાગ 1માં ગેરકાયદે ભરતી થઈ હોવાનું સામે આવ્યું છે.
અગ્રણી બિલ્ડર વિજયસિંહ ઝાલાનો આક્ષેપ
રાજકોટના અગ્રણી બિલ્ડર વિજયસિંહ ઝાલાએ ભરતીમાં કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં કૌભાંડ અંગે બિલ્ડર વિજયસિંહ ઝાલાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મારી ઓફિસમાં એક પત્ર આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાણી પુરવઠા વિભાગમાં બે વ્યક્તિની જૂનિયર આસિસટન્ટ તરીકે નિમણૂક થયેલ છે. આ માટે મેં મોરબીની ડિવિઝન કચેરીમાં RTI કરીને માહિતી માંગી હતી.
માહિતી અધિકાર હેઠળ મને મળી માહિતીઃ વિજયસિંહ
વિજયસિંહ ઝાલાએ જણાવ્યું કે, RTI બાદ માહિતી અધિકાર હેઠળ મને માહિતી મળેલ છે, તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 14/06/2021 અને 22/07/2021ના રોજ પાર્થ રાઠોડ અને જયદિપ પોપટ નામના બે વ્યક્તિની ભરતી કરવામાં આવી હતી. જે બાદ 13/09/2021ના રોજ મનસુખ પરમાર નામની વ્યક્તિ રાજકોટ કચેરીમાં એક સરનામા વગરનો પત્ર લખે છે, તેના દ્વારા તપાસ કરવામાં આવે છે. જે બાદ 30/09/2021ના રોજ વી.ડી દેરાસરી નામના કર્મચારી પાસે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કબૂલાત નામું લે છે કે આ કૌભાંડ મેં આર્થિક લાભ માટે કરેલું છે.
બે લોકોની ખોટી રીતે ભરતી કરાઈઃ વિજયસિંહ ઝાલા
તેઓએ જણાવ્યું કે, મને જે માહિતી મળેલી છે તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે વી.ડી દેરાસરી આજની તારીખે પણ રોજમદાર તરીકે લીલાપુરમાં ફરજ બજાવે છે. તો આના માટે એને બચાવવાવાળા અધિકારીઓ છે, તેઓ વી.ડી દેરાસરી વહીવટદાર હોય એવું મને લાગી રહ્યું છે. જે બે લોકોની ખોટી રીતે ભરતી કરવામાં આવી હતી, તેઓ હજુ પણ નોકરી કરી રહ્યા છે કે નહીં તે અંગેની માહિતી મને આપવામાં આવી નથી. મારી પાસે એ માહિતી ઉપલબ્ધ નથી.
યોગ્ય તપાસની કરી માંગ
બિલ્ડર વિજયસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું કે, સૌથી મહત્વની વાત તો એ છે કે ગાંધીનગર સુધી મુખ્ય વહીવટી અધિકારીને પણ આ કૌભાંડની જાણ છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો કેટલા રૂપિયાનો વહીવટ થયો હતો અને એ વહીવટ ક્યાં અધિકારીઓને મળેલ છે સમગ્ર માહિતી બહાર આવે તેમ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh