બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 08:45 AM, 19 April 2023
યૂથ કોંગ્રેસના આસામ પ્રમુખ અંગકિતા દત્તાએ યુવા સંગઠનના રાષ્ટ્રીય વડા શ્રીનિવાસ બી.વી. સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અંકિતા દત્તાએ શ્રીનિવાસ પર તેને ઘણી વખત હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને તેમની ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનિવાસને થયેલી હેરાનગતિ વિશે જણાવ્યું હતું પરંતુ તેમની (શ્રીનિવાસ) વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આસામ યૂથ કોંગ્રેસના પ્રમુખ અંગકિતા દત્તાએ કહ્યું કે, શ્રીનિવાસ બી.વી. મારા લિંગના આધારે મારી સાથે સતત સતામણી અને ભેદભાવ કર્યો છે. મારા મૂલ્યો અને શિક્ષણ મને હવે મંજૂરી આપતા નથી. ઘણી વખત તેમની સામે હોવા છતાં નેતૃત્વ સાંભળ્યું ન હતું. શ્રીનિવાસ બી.વી વિચારે છે કે, તે ખૂબ શક્તિશાળી છે અને તેને મોટા નેતાઓના આશીર્વાદ છે કે, તે સંસ્થામાં મહિલાને હેરાન કરી શકે છે અને અપમાનિત કરી શકે છે.
#WATCH | "For the past 6 months, Indian Youth Congress (IYC) president Srinivas BV & his IYC secretary in-charge Vardhan Yadav have been harassing me continuously. I've complained about this to the leadership but till now no enquiry committee has been initiated against them,"… pic.twitter.com/jbJIPldDHa
— ANI (@ANI) April 19, 2023
શું લખ્યું પોસ્ટમાં ?
અંગકિતા દત્તાએ તેની પોસ્ટમાં રાહુલ ગાંધીને ટેગ કરતાં લખ્યું કે, મને રાહુલ ગાંધીમાં ઘણો વિશ્વાસ હતો અને શ્રીનિવાસ દ્વારા મારા પ્રત્યે અપમાનજનક ભાષાના ઉપયોગ વિશે તેમને જણાવવા ભારત જોડો દરમિયાન જમ્મુ ગઈ હતી. હવે એપ્રિલ મહિનો છે અને તેની સામે હજુ સુધી કોઈ તપાસ થઈ નથી.
. @srinivasiyc thinks he is so powerful
— Dr Angkita Dutta (@angkitadutta) April 18, 2023
And has the blessing of big leaders that he can harass and demean a women in the organisation.
દત્તાએ કર્યો મોટો દાવો
યૂથ કોંગ્રેસના પ્રમુખ અંગકિતા દત્તાએ દાવો કર્યો હતો કે, શ્રીનિવાસ સામે પક્ષના ટોચના અધિકારીઓની કાર્યવાહીની રાહ જોતા મહિનાઓ સુધી તેણી ચૂપ રહી, જોકે તેમની ફરિયાદો છતાં કોઈ તપાસ સમિતિની રચના કરવામાં આવી ન હતી. પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પૂછ્યું કે, હું એક મહિલા નેતા છું. જો હું આ પ્રકારના ઉત્પીડનમાંથી પસાર થઈશ તો હું અન્ય મહિલાઓને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરી શકું?
@IYC President @srinivasiyc has continually harnessed me and was discriminating on the basis of my gender. My values and education doesn’t allow me anymore. The leadership has played deaf ears despite bring front of them MANY TIMES @RahulGandhi @kcvenugopalmp @priyankagandhi
— Dr Angkita Dutta (@angkitadutta) April 18, 2023
મહિલાઓ માટે સુરક્ષિત સ્થાન નથી
અંગકિતા દત્તાના કહેવા પ્રમાણે શ્રીનિવાસ જેવા લોકોના કારણે કોંગ્રેસ પાસે હવે મહિલાઓ માટે સુરક્ષિત સ્થાન નથી. દત્તાએ કહ્યું કે, હું સમગ્ર દેશમાં એકમાત્ર મહિલા યુથ કોંગ્રેસ અધ્યક્ષ છું અને મારો પરિવાર છેલ્લી ચાર પેઢીથી કોંગ્રેસમાં છે. તેમ છતાં મેં ઘણી હેરાનગતિનો સામનો કર્યો છે. તેમના પિતા સ્વ.અંજન દત્તા આસામમાં તરુણ ગોગોઈના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh