બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Malay
Last Updated: 10:51 AM, 11 April 2023
સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરમાં શ્વાને વધુ એકનો ભોગ લીધો છે. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મૃત્યુ થયું છે.
બે દિવસ અગાઉ દેખાયા હતા હડકવાના લક્ષણો
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના વૃદ્ધને ચાર મહિના અગાઉ રખડતા કૂતરાએ બચકું ભરી લીધું હતું. જે બાદ તેઓએ રસી લીધી ન હતી. બે દિવસ અગાઉ વૃદ્ધમાં હડકવાના લક્ષણો દેખાયા હતા. જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે. વૃદ્ધના મૃત્યુ અંગે તબીબનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હડકવા થયા પછી સારવાર શક્ય નથી. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સુરતમાં રખડતા કૂતરાઓના ટોળાએ એક માસુમ બાળકનો જીવ લીધો હતો.
સુરતમાં 6 વર્ષના માસૂમનું થયું હતું મોત
સુરતના ભેસ્તાન વિસ્તારમાં 6 વર્ષનો સાહિલ તેના માતા-પિતા સાથે એક કન્સ્ટ્રક્શન સાઈટ પર હાજર હતો. બાળકના માતા-પિતા તેમના કામમાં વ્યસ્ત હતા. 22 માર્ચે બપોરે 1 વાગ્યાની આસપાસ જ્યારે બાળક રમી રહ્યો હતો, ત્યારે શ્વાનોના ટોળાએ તેના પર હુમલો કર્યો. કૂતરાઓએ બાળકના શરીરને ખરાબ રીતે ફાડી નાખ્યું. જે બાદ બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. સાહિલના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોક છવાયો હતો.
2 વર્ષની બાળકીને ભર્યા હતા 40 જેટલા બચકાં
ગયા મહિને શહેરમાં 2 વર્ષની બાળકી પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો. શ્વાનોએ તેને 40 જેટલા બચકાં ભર્યા હતા. જે બાદ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ખજોદ ખાતે ડાયમંડ બુર્સમાં આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની બે વર્ષીયની પુત્રીને ત્રણ-ચાર શ્વાને બચકાં ભરતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બાળકીને 30થી 40 જેટલા બચકા ભર્યા હોવાનું ડોક્ટરે કહ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh