બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ambarish Der now made the official announcement after meeting with C R Patil of BJP

લોકસભા ચૂંટણી 2024 / અંબરીશ ડેર હવે ભાજપના: C R પાટિલ સાથે મીટિંગ બાદ કર્યું સત્તાવાર એલાન, કોંગ્રેસે કહ્યું- અમે સસ્પેન્ડ કર્યા

Vishal Khamar

Last Updated: 03:42 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણાં લાંબા સમયની ચર્ચાઓ બાદ કોંગ્રેસના નેતાએ રાજીનામુ આપી દેતા રાજકીય માહોલ ગરમાવા પામ્યો હતો. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે મુલાકાત બાદ કોંગ્રેસના નેતાએ રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે કરેલી મુલાકાત બાદ કોંગ્રેસ દ્વારા તેઓને તમામ પદો પરથી સસ્પેન્ડ કર્યા છે. સી.આર.પાટીલ સાથે મુલાકાત બાદ ફોટો વાયરલ થયા બાદ કોંગ્રેસ દ્વારા નિર્ણય કરાયો છે. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી હતી. પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ અંબરીશ ડેર ભાજપમાં જોડાય તે પહેલા જ કોંગ્રેસે તેઓને સસ્પેન્ડ કરી દેતા કોંગ્રેસ પક્ષમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. 

ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ અંબરીશ ડેર વચ્ચે મુલાતાક થઈ
કોંગ્રેસનાં નેતા અંબરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે કોંગ્રેસનાં નેતા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ચર્ચા થઈ હોવાનાં સમાચાર વહેતા થતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ત્યારે હવે ગમે તે સમયે કોંગ્રેસના અંબરીશ ડેર ભાજપમાં જોડાઈ શકે છે.  અંબરીશ ડેર ક્યારે ભાજપમાં જોડાશે તે બાબતને લઈ હજુ અસમંજસ સ્થિતિ છે. ભૂતકાળમાં અંબરીશ ડેરે ભાજપનાં કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. તેમજ લોકસભા સમયે એક બાદ એક સિનિયર નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં વધુ એક કોંગ્રેસી નેતા ભાજપમાં તેમનાં ટેકેદારો સાથે જોડાશે. 

અંબરીશ ડેર માટે વિધાનસભાની બેઠક ખાલી થશે
લોકસભા ચૂંટણી પહેલા રાજકારણમાં અનેક મોટા ફેરબદલ થતા હોય છે.  સૌરાષ્ટ્રનાં રાજકારણમાં મોટો ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં કોંગ્રેસને નેતા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. તેમજ વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ત્યારે અંબરીશ ડેરને ભાજપ દ્વારા રાજુલા વિધાનસભા બેઠક પર લડાવવાની તૈયારીઓ કરી રહ્યું હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. તો બીજી તરફ રાજુલાનાં ધારાસભ્ય હીરા સોલંકીને ભાજપ દ્વારા લોકોસભાની ટીકીટ આપવા ભાજપ મોવડી મંડળ તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે.  ત્યાર ટૂંક સમયમાં અંબરીશ ડેર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. 

વધુ વાંચોઃ હીરા સોલંકીને લોકસભા અને રાજુલાની પેટાચૂંટણીમાં અંબરીશ ડેરને ઉતારવાની તૈયારી: ભાજપે બનાવી સ્ટ્રેટેજી

ભાવનગર બેઠક પર કોળી સમાજનો ચહેરો ઉતારશે ભાજપ
ભાજપ રાજુલાનાં ધારાસભ્ય હીરા સોલંકીને ભાવનગર લોકસભા બેઠક પર ઉતારવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈ ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળનું નામ કપાઈ શકે છે. હવે મહત્વની બાબતએ છે કે કોંગ્રેસ અને આપ દ્વારા ભાવનગર અને ભરૂચ બેઠક પર ગઠબંધન ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે વિપક્ષની રણનીતિનો જવાબ આપવા ભાજપ ભાવનગરમાં કોળી સમાજનો ચહેરો ઉતારી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ