બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Ambalal Patel prediction about the storm again

સાયક્લોન / અંબાલાલની આકરી આગાહી: 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું, કડાકા ભડાકા, આંધી સાથે વરસાદ ઘમરોળશે,જુઓ ક્યાં થશે સૌથી વધુ અસર

Dinesh

Last Updated: 08:46 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વાવાઝોડાની અસર 50 વર્ષમાં સૌથી મોટી છે તેમજ ગાજવીજ અને ધૂળના તોફાનો આવી શકે છે સાથો સાથ કડાકા-ભડાકા, આંધી સાથે વરસાદ થઈ શકે છે

  • વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની આગાહી 
  • "50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વર્ષે"
  • "વાવાઝોડાની 50 વર્ષમાં મોટી અસર"

બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાતનું વહીવટી તંત્ર એકશન મોડમાં આવ્યું છે. રાજ્યના દરિયાઈ વિસ્તારમાં ચિંતામાં વધારો થયો છે. કારણ કે બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની ફરી એક વાર આગાહી સામે આવી છે અને તેમણે જણાવ્યું છે કે, 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વર્ષે આવ્યું છે. 

તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વાવાઝોડાની અસર 50 વર્ષમાં સૌથી મોટી છે તેમજ ગાજવીજ અને ધૂળના તોફાનો આવી શકે છે સાથો સાથ કડાકા-ભડાકા, આંધી સાથે વરસાદ થઈ શકે છે
વાવાઝોડાની અસર રાજ્યના પશ્ચિમ કાંઠા વધુ જોવા મળી શકે છે તેમજ તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે તો વળી 12થી 16 જૂને મધ્ય ગુજરાતમાં અસર થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર સુધી વરસાદ થઈ શકે છે

દ્વારકા અને માંગરોળમાં વર્તાશે સૌથી વધારે અસર
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે. તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડશે. આગામી 12થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધારે છે.

દરિયો તોફાની બનશે અને ભારે કરંટ જોવા મળશેઃ અંબાલાલ
તેમણે જણાવ્યું કે, વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે.  દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ જોવા મળશે. ભારે વરસાદની સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. આગામી 12થી 16 જૂન દરમિયાન વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝાડાની અસર થશે. મધ્ય ગુજરાતના આ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિયઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 12થી 16 જૂન દરમિયાન ગુજરાતના કેટલાકભાગોમાં ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ