બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 10:47 PM, 28 September 2023
ભાવનગર શહેર અને જિલ્લમાં રખડતા ઢોરના ત્રાસના કારણે બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બની ગયાનું સામે આવ્યું છે. જેમાં ગઈકાલે રાત્રીના સોનગઢ નજીક બાઈક આડે ઢોર ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું. જયારે નારી નજીકના દસ નાળા પાસે એક કરની આડે ઢોર આવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાને કાળ આંબી ગયો હોવાનું બહાર આવ્યું હતું. હવે આ મહિલાના મોતને લઈને વિવાદ ઉભો થયો છે. મૃતક મહિલાના પરિજનોએ પોતાની દીકરીની હત્યા કરી નાંખવામા આવી હોવાના ધગધગતા આરોપ લગાવતા સનસનાટી મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ યુવતીના વિધર્મી યુવક સાથે લવ મેરેજ થયા હતા. હવે હત્યાના દાવા સાથે પરિજનોએ પેનલ પોસ્ટમોર્ટમ બાદ જ લાશ સ્વીકારવાનું કહેતા હાલ આ મુદ્દે શહેરભરમાં ગાજી રહ્યો છે.
હિંદુ સંગઠનો સહિત પરિવાર સિવિલ હોસ્પિટલ એકત્ર થયા
આ કિસ્સાની વિગત એવી છે કે ભાવનગર શહેરના નારી નજીક દસ નાળા પાસે ગત રાત્રીના અમદાવાદથી ભાવનગર આવી રહેલી કારને અકસ્માત નડ્યો હતો. ઢોર આડે આવતા કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેમાં કાર પલ્ટી જતા હુસનાબેનનું મોત થયું હતું. જયારે તેના પતિને ઇજા થવા પામી હતી. હાલ મહિલાના મોતને લઈને રહસ્યના તાણાવાણા સર્જાઈ રહ્યા છે. યુવતી દલિત છે અને તેણીને ભગાડીને એક વિધર્મી યુવકે લગ્ન કરાવી લીધા હતા. તેવો મૃતક મહિલાના દાદા ભગવાન રાઠોડે આરોપ લગાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ભાવનગરના નવાપરામાં રહેતા હમિદ ડેરૈયાએ અમારી દીકરીને ભગાડીને લવ મેરેજ કરી લીધા હતા.
મોતનું સાચું કારણ સામે ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર
યુવતી સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીંણા ગામે રહેતી હતી અને ભાવનગરમાં નર્સિંગનો કોર્ષ કરી રહી હતી. આ દરમિયાન હમિદ યુનુસએ તેણીને ફસાવી જૂલાઈ 2022માં તેની સાથે લવ મેરેજ કર્યા હોવાનું ભગવણભાઈએ જણાવ્યું હતુ. તેઓએ કહ્યું કે જ્યારે યુવતીને ભગાડી જવામાં આવી ત્યારે જે તે સમયના ગૃહમંત્રી, શિક્ષણમંત્રી સહિત સ્થાનિક એસપીને રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ કોઈએ સહકાર ન આપ્યાની રાવ કરી છે.
પોસ્ટમોર્ટમ બાદ જ ખુલાસો થશે
મૃતક મહિલાના દાદાએ જણાવ્યું કે તેમણે લાશને જોતાં ઘાવ શંકાસ્પદ લાગી રહ્યા છે. હાલ હત્યા મામલે સાસરિયા પક્ષ પર આરોપ લગાવ્યો છે. તો બીજી બાજુ મૃતકના પતિને મૂઢ ઇજા પહોંચી હોવાથી સારવાર હેઠળ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે મહિલાનું મોત આકસ્મિક હતું કે હત્યા હતી તેને લઇને પોસ્ટમોર્ટમ બાદ જ ખુલાસો થાય એમ છે. હાલ પરિવારે પેનલ પોસ્ટમોર્ટમ સુધી લાશ ન સ્વિકારવાનો નિર્ણય લીધો છે.હાલ હિંદુ સંગઠનો સહિત પરિવાર સિવિલ હોસ્પિટલ એકત્ર થયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh