બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Allegation of corruption in the construction of the bridge built in Vadinath, Kheda
Dinesh
Last Updated: 05:32 PM, 5 June 2023
ખેડાના વાડીનાથમાં બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર થયાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં હાથ લગાવાથી બ્રિજની દીવાલના પોપડા પડતા હોવાનું જોવા મળ્યું હતું. જેને લઈ VTVએ વાડીનાથમાં બનેલા બ્રિજનું રિયાલિટી ચેક કર્યું હતું. VTV NEWSના રિયાલિટી ચેક દરમિયાન વાડીનાથમાં બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. બ્રિજના લોકાર્પણ પહેલાં જ બ્રિજમાં તિરાડો પડી છે. સાથે જ બ્રિજની રેલિંગ પણ ધરાશાયી થઈ છે.
વીડિયો વાયરલ થયો હતો
વાઇરલ વીડિયોમાં એક યુવક નવા બનેલા બ્રિજની દીવાલો અને તેની સાઈડમાં મુકવામાં આવતી રેલિંગને લઈ આ બ્રિજની ગુણવત્તા બતાવી રહ્યો છે જેમાં આ બ્રિજની દીવાલો કાચી કે માટીની બનેલી હોય તે રીતે ઉખડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે વીડિયોની સત્યતા ચકાસતા જાણવા મળ્યું કે, વાડીનાથ ગામમાં બનેલ વાડીનાથથી મોકાના મુવાડા તરફના નવા બનેલ બ્રિજનો હોવાનું માલુમ પડ્યું જેથી VTVની ટીમ ઘટનાસ્થળે પહોંચી આ વીડિઓની સત્યતા તપાસતા ખરેખર આ બ્રિજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું
ભ્રષ્ટાચારની થયાનો આક્ષેપ
આ અંગે સ્થાનિકોને પૂછતા બ્રિજની કામગીરમાં ભ્રષ્ટાચારની થયાનો જણાઈ કહ્યાં છે. આ બ્રિજમાં હાથ લગાવવાથી જ બ્રિજની દિવાલ ઉખડી રહી છે. જેથી સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર સામે રોષ ઠાલવતા કહ્યું કે, બ્રિજની દિવાલ માટીથી બનાવી હોય તેવું લાગે છે. હાથ લગાવવાથી બ્રિજની દિવાલમાંથી પોપડા ઉખડે છે. આ બ્રિજ બનાવવામાં રેતી અને સિમેન્ટનો ઉપયોગ નથી થયો. જેથી ફરી આ બ્રિજ બનાવવાની જરૂર છે. એક તરફની રેલિંગ અને બોર્ડ ખુદ માર્ગ અને મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટર જ લઈ ગયા હોવાનું માલુમ પડેલ તો બીજી તરફની રેલિંગ લોકાર્પણ પહેલા જ જમીન દોસ્ત થયેલ હાલતમાં જોવા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh