બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / allahabad high court delivers verdict on live in relationship couples says illegal

ઉત્તર પ્રદેશ / હિંદુ છોકરા અને મુસ્લિમ છોકરીનો લિવ ઈન રિલેશનશીપ ગેરકાયદેસર-HCનો ચુકાદો

Ajit Jadeja

Last Updated: 09:35 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે ધર્મ પરિવર્તન વિના કોઈ પુરુષ કે સ્ત્રી લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકે નહીં. આ ઉત્તર પ્રદેશના ધર્મ પરિવર્તન કાયદાનું ઉલ્લંઘન કહેવાય.

live in relationship: અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન લિવ-ઈન રિલેશનશીપ પર મોટી ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે અલગ-અલગ સમુદાયના છોકરા-છોકરીઓ ધર્મ પરિવર્તન કર્યા વિના લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકે નહીં. આ સંપૂર્ણપણે ગેરકાયદે છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે ધર્મ પરિવર્તન વિના કોઈ પુરુષ કે સ્ત્રી લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકે નહીં. આ ઉત્તર પ્રદેશના ધર્મ પરિવર્તન કાયદાનું ઉલ્લંઘન કહેવાય. કોર્ટે આ કેસમાં આંતર જ્ઞાતિય લગ્ન કરનાર યુગલને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.હાઈકોર્ટનો આ નિર્ણય યુપીના ધર્માંતરણ કાયદાના સંદર્ભમાં પણ આવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયથી ભારતમાં લિવ-ઈન રિલેશનશિપને લઈને ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સવાલ એ છે કે શું બે સમુદાયના પુખ્ત લોકોને સાથે રહેવા માટે કાયદાકીય પરવાનગીની જરૂર પડશે?  

અલ્હાબાદ હાઈકોર્ટે શું કહ્યું?

પ્રેમી યુગલની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ રેણુ અગ્રવાલની સિંગલ બેન્ચે કહ્યું કે ધર્મ પરિવર્તન માત્ર લગ્નના હેતુ માટે જ જરૂરી નથી, પરંતુ લગ્નના તમામ સંબંધોમાં તે જરૂરી છે, તેથી ધર્મ પરિવર્તન કર્યા વિના લિવ ઇનમાં રહેવું ગેરકાયદે છે. હાઈકોર્ટે પ્રેમી યુગલની પોલીસ સુરક્ષાની માંગ પણ ફગાવી દીધી છે. આ કેસમાં છોકરો હિન્દુ સમુદાયનો છે જ્યારે છોકરી મુસ્લિમ સમુદાયની છે. બંને મૂળ યુપીના કાસગંજના રહેવાસી છે. 

પ્રેમી યુગલનું શું કહેવું છે

પ્રેમી યુગલનું કહેવું છે કે બંનેએ કોર્ટ મેરેજ માટે અરજી કરી છે પરંતુ તેમાં ઘણો સમય લાગી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમને પોલીસ સુરક્ષા આપવી જોઈએ, જેથી તેમની સાથે કોઈ અપ્રિય ઘટના ન બને. જો કે બીજાપક્ષનું કહેવું છે કે ધર્મ પરિવર્તન માટે છોકરા કે છોકરીએ ધર્માંતરણ કાયદાની કલમ 8 અને 9 હેઠળ કોઈ અરજી કરી નથી તેથી તેમનું સાથે રહેવું ગેરકાયદે છે.

લિવ-ઇન રિલેશનશીપ અને ભારતમાં તેને લઇને કાયદો

લિવ-ઈન રિલેશનશિપની કોઈ વ્યાખ્યા નથી પરંતુ જ્યારે પ્રેમી યુગલ લગ્ન કર્યા વિના એક જ ઘરમાં પતિ-પત્નીની જેમ રહે છે, ત્યારે આ સંબંધને લિવ-ઈન રિલેશનશિપ કહેવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ 1978માં સર્વોચ્ચ અદાલતે બદ્રી પ્રસાદ વિ. ડાયરેક્ટર ઑફ કોન્સોલિડેશન કેસમાં લિવ-ઇન રિલેશનશિપને કાયદેસર ગણાવી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે કોઈપણ પુખ્ત વયના લોકોને તેમની મરજી મુજબ સાથે રહેવાની સ્વતંત્રતા હોવી જોઈએ. આ પછી ઘણા અલગ-અલગ પ્રસંગોએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે લિવ-ઈન રિલેશનશિપને લઈને કડક ટિપ્પણીઓ કરી છે.

કોર્ટે અરજી ફગાવી હતી

ભારતમાં પુખ્ત નાગરિકોને કલમ 21 હેઠળ રહેવાની અને કોઈપણ સાથે લગ્ન કરવાની છૂટ છે. જો કે ભારતમાં લિવ-ઈન રિલેશનશિપને લઈને કોઈ લેખિત કાયદો નથી. માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવું જોઈએ. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

લિવ-ઇન રિલેશનશીપને ક્યારે ખોટું માનવામાં આવતું હતું?

જો કોર્ટના નિર્ણયો પરથી જોવામાં આવે તો ભારતમાં અત્યાર સુધી લિવ-ઈન રિલેશનશિપને ત્રણ વખત ખોટા ગણવામાં આવ્યા છે. જો પ્રેમીઓમાંથી કોઈની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો તે ખોટું છે. સગીરોને સંડોવતા કેસમાં સજા થઈ શકે છે. જો બે પ્રેમીઓમાંથી એકે લગ્ન કર્યા હોય તો તે કાનૂની ગુનો ગણાશે. આ માટે તેને 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. બે છૂટાછેડા લીધેલા લોકો લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકે છે, પરંતુ જો તેમાંથી એકનો પણ છૂટાછેડાનો કેસ કોર્ટમાં અટકે તો તે કાયદાકીય રીતે ખોટું ગણાશે.  હવે અલાહાબાદ હાઈકોર્ટના તાજેતરના નિર્ણય પર નજર કરીએ તો બે સમુદાયના લોકો માટે ધર્મ બદલ્યા વિના લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું મુશ્કેલ થઈ જશે.

જ્યારે હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપ પર કડક ટિપ્પણી કરી હતી

ઓગસ્ટ 2021માં અલ્હાબાદ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપને લગતી અરજી ફગાવી દીધી હતી. જેમાં દંપતીએ પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. હાઈકોર્ટે દંપતીને 5000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. તે સમયે ટિપ્પણી કરતા હાઈકોર્ટે કહ્યું હતું કે અમે આવા ગેરકાયદે સંબંધોને પોલીસ સુરક્ષા આપીને આડકતરી રીતે માન્યતા આપવા માંગતા નથી. તે જ વર્ષે રાજસ્થાન હાઈકોર્ટે તેના એક નિર્ણયમાં આવા સંબંધોને દેશના સામાજિક બંધારણની વિરુદ્ધ ગણાવ્યા હતા. ઓક્ટોબર 2023માં અલ્હાબાદ હાઈકોર્ટે લિવ-ઈનને ટાઈમપાસ જેવું ગણાવ્યું હતું. હાઈકોર્ટના બે ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે આ થોડા દિવસોનો મોહ છે અને લાંબા સમય સુધી ખતરનાક સાબિત થઈ શકે છે.

વધુ વાંચોઃ EDએ BRS નેતા કે. કવિતાની ધરપકડ કરી, હૈદરાબાદથી દિલ્હી લવાયાં, દારુ કૌભાંડમાં એક્શન

મોટો સવાલ- હાઈકોર્ટના નિર્ણયથી શું બદલાશે?

હાઈકોર્ટના આ નિર્ણયથી ધર્માંતરણ કાયદો ફરી ચર્ચામાં આવી ગયો છે. યુપીમાં વર્ષ 2021માં ધર્માંતરણ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં બળ, લાલચ અને ષડયંત્ર દ્વારા ધર્મ પરિવર્તનની પ્રક્રિયાને ખોટી ગણવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે યુપીમાં જો પ્રેમી યુગલ ધર્મ બદલ્યા વિના લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે તો પોલીસ તેમની સામે ધર્મ પરિવર્તનનો કેસ દાખલ કરી શકે છે. મતલબ કે હાઈકોર્ટના આ નિર્ણયથી યુપીમાં એવા યુગલોની મુશ્કેલી વધી શકે છે જેઓ અલગ-અલગ સમુદાયના હોવા છતાં લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ