બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 08:20 PM, 20 June 2023
સુપરસ્ટાર પ્રભાસના લીડ રોલવાળી ફિલ્મ આદિપુરુષનું મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. ફિલ્મ જ્યારથી રીલિઝ થઇ છે ત્યારથી એક પછી એક અનેક વિરોધના વંટોળ ઉભા થઇ રહ્યાં છે. આ વિરોધમાં ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી ઉમેરો કર્યો છે. PMને લખેલા આ પત્રમાં માગ કરવામાં આવી છે કે ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત, ડાયલોગ રાઇટર મનોજ મુંતશિર અને પ્રોડ્યુસર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
All India Cine Workers Association write to Prime Minister Narendra Modi, requesting him to "stop screening the movie and immediately order a ban of #Adipurush screening in the theatres and OTT platforms in the future.
— ANI (@ANI) June 20, 2023
"We need FIR against Director Om Raut, dialogue writer… pic.twitter.com/jYq3yfv05c
આદિપુરુષને લઇને દેશમાં વિવિધ જગ્યાએ વિરોધ
16 જુનના રોજ થિએટરોમાં રીલિઝ થયેલી રામાયણની કથા પર આધારિત ફિલ્મ આદિપુરુષને લઇને દેશમાં વિવિધ જગ્યાએ વિરોધ થઇ રહ્યો છે. આ ફિલ્મમાં કેટલાક ડાયલોક ખુબ જ ચર્ચાનું કારણ બન્યા છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ડાયલોકથી હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. જો કે વિરોધ વધુ થતાં ફિલ્મમાંથી કેટલાક ડાયલોક બદલવાની વાત કરી છે તેમ છતા વિરોધના વંટોળ ઉભા થઇ રહ્યાં છે.
રામ અને હનુમાનજીની ઇમેજ ખરડાઇ
ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોશિએશન તરફથી વડાપ્રધાનને મોકલવામાં આવેલા પત્રમાં અપીલ કરવામાં આવે છે કે ફિલ્મની સ્ક્રિનિંગ પર તુરંત પ્રતિબંધ લગાવી દેવામાં આવે અને ફિલ્મને થિએટર અને ઓટીટી પર બેન લગાવવામાં આવે. સાથે જ પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મના સ્ક્રિનપ્લે અને ડાયલોકથી ભગવાન રામ અને હનુમાનજીની ઇમેજ ખરડાઇ છે. આ ફિલ્મથી હિન્દુ અને સનાતન ધર્મના લોકોની ભાવનાને ઠેસ પહોંચી રહી છે.
પાત્રને વીડિયો ગેમના કેરેક્ટરની જેમ દેખાડવામાં આવ્યા
આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મમાં ભગવાન રામ અને રાવણના પાત્રને પણ વીડિયો ગેમના કેરેક્ટરની જેમ દેખાડવામાં આવ્યા છે. ડાયલોકથી દરેક ભારતીયને દુખ પહોંચ્યું છે. લોકોની ભાવનાને ઠેસ પહોંચાડનારા ડિરેક્ટર્સ, ડાયલોક રાઇટર અને પ્રોડ્યુસર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે. તો પત્રમાં જણાવવામાં આવ્યું કે પ્રભાસ, કૃતિ સેનન અને સેફ અલી ખાને આવી ફિલ્મો ન કરવી જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh