બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Akshaya Tritiya 2023 goddess lakshmi worship tips

આસ્થા / અખાત્રીજ પર જરૂર કરી લો માતા લક્ષ્મી સાથે જોડાયેલા આ ઉપાય, ભરેલો રહેશે ધનનો ભંડાર

Arohi

Last Updated: 04:11 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshaya Tritiya 2023: સનાતન પરંપરામાં અક્ષય તૃતીયા પર્વને દરેક કાર્યો માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ખાસ ઉપાય કરવા જોઈએ. તેનાથી તે પ્રસન્ન થાય છે.

  • દરેક કાર્ય માટે શુભ માનવામાં આવે છે અખાત્રીજ 
  • આ દિવસે કરો માતા લક્ષ્મીની પૂજા 
  • ભરાઈ જશે ધનના ભંડાર 

હિંદુ ધર્મમાં વૈશાખ મહિનાના શુક્લપક્ષની તિથિએ અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે સુખ-સંપત્તિ અને ધનની દેવી માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે અમુક ઉપાય જરૂર કરવા જોઈએ. 

હિંદુ માન્યતા અનુસાર અખાત્રીજના દિવસે કોઈ વ્યક્તિ સંપૂર્ણ વિધિ-વિધાનથી માતા લક્ષ્મીની પૂજા, તેમના મંત્રોના જાપ અને તેમની પૂજા સાથે જોડાયેલા અમુક સરળ અને સિદ્ધ ઉપાય કરે છે તો તેમના ત્યાં આખુ વર્ષ માતા લક્ષ્મીની કૃપા વરસે છે. તેમનો ધનનો ભંડાર ભરેલો રહે છે. જાણો આ દિવસે સોનું ખરીદવા અને દાન સાથે જોડાયેલા અમુક ઉપાય. 

અખાત્રીજ પર કરો લક્ષ્મીની ખાસ સાધના 
જો તમે ઈચ્છો તો તમારા ઘરમાં હંમેશા ધનની દેવીનો વાસ બની રહે છે અને ક્યારેય પણ પૈસાની કમી ન થાય તો તમને અખાત્રીજ પર માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કર્યા બાદ આદિ શંકરાચાર્ય દ્વારા રચિત કનકધારા સ્તોત્ર વાંચવી જોઈએ. 

જો તમે આમ ન કરી શકો તો માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરો. માન્યતા છે કે ભક્ત અખાત્રીજ પર માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરે છે. તેના પર આખુ વર્ષ ધનની દેવીની કૃપા વરસે છે. 

શ્રી યંત્રની પૂજાથી પુરી થશે ધન-સંપત્તિની કામના 
જો ખૂબ પરિશ્રમ અને પ્રયાસ બાદ પણ તમારા જીવનમાં રૂપિયા પૈસાની મુશ્કેલી ઓવે છે તો તમારે અખાત્રીજ પર પોતાના ઘરમાં શ્રીયંત્રને સ્થાપિત કરી તેમની વિધિ-વિધાનથી પૂજા અને માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરો. 

માતા લક્ષ્મીની પૂજા તમારા પર હંમેશા બની રહેશે. તેના માટે તમારે અખાત્રીજ બાદ પણ દરરોજ શ્રીયંત્રની પૂજાને ચાલું રાખવાની રહેશે. 

સોનું ખરીદવા પર સોના જેમ ચમકી ઉઠે છે કિસ્મત 
હિંદુ માન્યતાઓ અનુસાર અખાત્રીજ પર સોનું ખરીડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો અખાત્રીજના દિવસે સોનું ખરીદવામાં આવે તો તમારી પાસે તે વધારે સમય સુધી બની રહે છે સાથે જ તેમાં વૃદ્ધિ પણ થાય છે. 

દક્ષિણાવર્તી શંખથી જૂર થશે ધન-સંપત્તિની મુશ્કેલી 
હિંદુ માન્યતા અનુસાર શંખને માતા લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે કારણ કે તેનું પણ પ્રાગટ્ય માતા લક્ષ્મીની સાથે સમુદ્ર મંથન વખતે થયું હતું. માન્યતા છે કે જે ઘરમાં શંખ રહે છે અને તેની દરરોજ પૂજા થાય છે. તે ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ બની રહે છે. 

એવામાં આ અખાત્રીજ પર જો તમે સોનુ ન ખરીદી શકો તો ઓછામાં ઓછો એક શંખ જરૂર ખરીદી લો અને તેની પૂજા કરવાની સાથે તેને દરરોજ વગાડો. આ ઉપાયને કરવાથી તમારા ઘરનું ધન અને અન્ય બન્નેનો ભંડાર ભરેલો રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ