બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Kishor
Last Updated: 10:35 PM, 1 January 2024
એક બાજુ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તડામાર તૈયારીઓ અને સુવર્ણ મસ્જિદને લઈને વિવાદ વકરી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ કહ્યું કે જ્યાં અમે 500 વર્ષથી સજદા કર્યા હતા. તે જગ્યા આજે અમારી પાસે નથી અને તમે જોઈ શકો છો કે હવે ત્યાં શુ બની રહ્યું છે.
મસ્જિદો અમારી પાસેથી છીનવાઈ જશે!
આજે સોમવાર (1 જાન્યુઆરી)ના રોજ AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એક સભાને સંબોધી રહ્યા હતા આ વેળાએ તેમણે કહ્યું કે, "આ તાકાત તમારા હૃદયમાંથી એકતાને ઉખેડી ફેંકવા માંગે છે. વર્ષોની મહેનત બાદ આજે એક મુકામ સુધી પહોંચ્યા છીએ. તેથી તમારી તાકાતને અકબંધ રાખો. આ વેળાએ તેઓએ મુસ્લિમ લોકોને મસ્જિદો (નમાઝ અદા) કરવા માટે અપીલ કરી. ઓવૈસીએ જણાવ્યું કે યુવાઓ, તમારી સમુદાયની ચિંતા અને તાકાત જાળવી રાખો અને મસ્જિદોને આબાદ રાખો. નહીં તો એક દિવસ એવો આવશે કે મસ્જિદો અમારી પાસેથી છીનવાઈ જશે.
'એકતા એ જ તાકાત'
લોકોને એકસંપ થવાની અપીલ કરતા જણાવ્યું કે એકતા એ જ તાકાત છે. તો સંગઠિત રહો અને આશાવાદ સાથે કહ્યું કે મને આશા છે કે આજના યુવાનો પોતાને, પોતાના પરિવારને અને પોતાના વિસ્તારને કેવી રીતે બચાવી શકાય તે વિશે વિચારશે.
ભારતના બંધારણની સ્વતંત્રતા અને ધર્મનો મૂળભૂત અધિકાર છે
નોંધનિય છે કે અગાઉ, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના ગોલ્ડન મસ્જિદને હટાવવાના પ્રસ્તાવ પર લોકોનો અભિપ્રાય માંગતી વખતે, ઓવૈસીએ કહ્યું હતું કે આ નોટિફિકેશન આર્ટિકલ 25નું ઉલ્લંઘન કરનારું છે. જે આપણા ભારતના બંધારણની સ્વતંત્રતા અને ધર્મનો મૂળભૂત અધિકાર છે. કારણ કે તે એક હેરિટેજ સ્થળ પણ છે અને પૂજાનું સ્થળ પણ છે. આ આર્ટિકલ કહે છે કે સંસ્કૃતિની રક્ષા થવી જોઈએ, અને આ પણ સંસ્કૃતિનું જ એક અંગ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh