બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Kishor
Last Updated: 07:09 AM, 5 November 2023
ધાર્મિક માન્યતાઓમાં અનુસાર ધાર્યું ફળ આપતું અહોઈ અષ્ટમી વ્રત આજે તા. 5 નવેમ્બરના રોજ મનાવવામાં આવી રહ્યું છે. આ વ્રત વર્ષના સૌથી કડક ઉપવાસોમાંનું પણ એક માનવામાં આવે છે. આ દિવસે માતા અહોઈની પૂજા કરવાની સાથે ભગવાન શિવ અને પાર્વતીની પણ પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે મહિલાઓ નિર્જલા વ્રત રાખી અને અહોઇ માતાની પૂજા આરાધના કરશે.બાદમાં બાળકોની પ્રગતિ, દીર્ધાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના સાથે પૂજા કરશે. ખાસ આ પવિત્ર દિવસે રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનવા જઇ રહ્યો હોવાથી વ્રતનું મહત્વ બમણું થઈ ગયું છે અને માન્યતાઓ એવી પણ છે કે લગભગ 600 વર્ષ પછી આ તારીખે આ સંયોગ બની રહ્યો છે. જેને લઈને અમુક રાશિના લોકોને જબરદસ્ત ફાયદો થશે.
તુલા
લાંબા વર્ષો વીતી ગયા બાદ બનવા જતો દુર્લભ સંયોગ તુલા રાશિના લોકો માટે ખૂબ સારા સમાચાર લઈને આવશે. આ યોગને લઈને લોકોને દરેક કામમાં સફળતા મળે તેવું દેખાઈ રહ્યું છે. તમે કરેલી મહેનત પરિણામના સ્વરૂપમાં દેખાશે. સ્વાસ્થ્ય સુધરશે અને તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આશા પણ ઉજળી થઈ શકે છે.
ધનુરાશિ
અહોઈ અષ્ટમીની તિથિ ધનુરાશિના લોકો માટે ફળદાયી સાબિત થશે. આજનો આ દિવસ વ્યવસાયની સ્થિતિમાં અનેક નવી તકો લાવી શકે છે. તો આવકના નવા સ્ત્રોત પણ ઉભા થશે. વધુમાં મિત્રોની મદદથી તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પણ વિતાવી શકો છો.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે અહોઈ અષ્ટમીની તારીખ આવકારદાયક નીવડી શકે છે. આ દિવસ રોકાણ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વેપારી લોકો માટે પૈસા આવવાની સંભાવના છે. વધુમાં જીવનસાથી સાથે ચાલતા મતભેદોનો પણ અંત આવે અને પરિજનો પાસેથી સહકાર મળે તેવી આશા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh