બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After suicide by student, Nursing college students protest in Deesa
Kiran
Last Updated: 01:26 PM, 31 August 2021
ડીસામાં ભારત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ કરેલા આપઘાત મામલે આજે વિદ્યાર્થીઓએ કોલેજ બહાર હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો છે અને કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે.
મહત્વનું છે કે કોલેજના પ્રોફેસરના ટોર્ચરને લઈ વિદ્યાર્થીએ અમદાવાદ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓને ન્યાય અપવવા માટે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હોબોળો મચાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓએ બેનરો સાથે ભારે સુત્રોચ્ચાર કર્યો હતો પ્રોફેસર અને પ્રિન્સિપાલ સામે કોલેજના ટ્રસ્ટીઓે દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
વિદ્યાર્થીના આપઘાત મામલે વિદ્યાર્થીઓનો હોબાળો
મહત્વનું છે કે ભારત નર્સિંગ કોલેજના આપઘાતને પગલે કોલેજના પ્રોફેસર સામે માર મારવાના અને ટોર્ચર કરી કોલેજમાંથી કાઢી મુકવાના આક્ષેપો લાગી રહ્યા છે, વિદ્યાર્થીને કોલેજમાંથી કાઢી મુકવામાં આવતા વિદ્યાર્થીએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે વદ્યાર્થીઓના વિરોધ અને હોબાળાને પગલે કોલેજમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જે બાદ કોલેજના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને સમજાવીને મામલે થાળે પાડ્યો હતો.
પ્રોફેસર અને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માગ
પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને માર મરાતા અને બાદમાં કોલેજમાંથી કાઢી મુકવામાં આવતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો આક્ષપ ભારત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો
કોલેજ બહાર એકઠા થઈને પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તાત્કાલિક કોલેજના પ્રોફેસર તેમજ પ્રિન્સિપાલ સસ્પેન્ડ કરવામાં તેવી માંગ કરી હતી. જો કે કોલેજના ટ્રસ્ટીઓએ આશ્વાસર આપી સમગ્ર મામલો થાળે પાડ્યો છે પરતું કોલેજ ટ્રસ્ટીઓ દ્વારા સમગ્ર મામલે શું નિર્ણય લેવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir