બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / after laal singh chaddha audience has demanded to boycott other bollywood films too
Khevna
Last Updated: 06:04 PM, 18 August 2022
લાલ સિંહ ચઢ્ઢા
11 ઓગસ્ટનાં રોજ રિલીઝ થયેલ અભિનેતા આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પોતાની રિલીઝ પહેલા જ લોકોની નારાજગીણો શિકાર બની હતી. આ ફિલ્મને લઈને લાંબા સમયથી સોશિયલ મીડિયા પર બૉયકોટની માંગ કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં, ફિલ્મનાં રિલીઝ થયા બાદ પણ લોકોએ સતત ફિલ્મનો વિરોધ કરવાનું કાયમ રાખ્યું. ફેન્સ આમિર ખાનનાં ભારતને લઈને નિવેદનને કારણે નારાજ છે. આ જ કારણ છે કે ફિલ્મનું પ્રદર્શન બોક્સ ઓફિસ પર ઘણું ખરાબ રહ્યું છે, જેને કારણે આ ફિલ્મ એક ફ્લોપ ફિલ્મ સાબિત થઈ છે.
પઠાન
બૉલીવુડનાં બાદશાહ તરીકે ઓળખાતા અભિનેતા શાહરુખ ખાન ઇન્ડસ્ટ્રીમાં રોમાન્સ કિંગનાં નામથી પણ પ્રચલિત છે. જોકે અભિનેતા લાંબા સમયથી મોટા પરદાથી દૂર છે. શાહરૂખ છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. પરંતુ હવે અભિનેતા ટૂંક સમયમાં જ તેની ફિલ્મ પઠાન સાથે સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહ્યા છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થનારી આ ફિલ્મ ચર્ચામાં છે. ખરેખર, સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો બહિષ્કાર કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે. શાહરૂખ તાજેતરમાં આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં કેમિયો કરતા જોવા મળ્યા હતા. આ જ કારણ છે કે લોકો હવે તેની ફિલ્મનો પણ વિરોધ કરી રહ્યા છે.
વિક્રમ વેધા
બોલિવૂડ એક્ટર રિતિક રોશન અને એક્ટર આમિર ખાન સ્ટારર ફિલ્મ વિક્રમ વેધા આવતા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. 30 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થનારી, આ ફિલ્મ દક્ષિણની સુપરહિટ ફિલ્મની ઓફિશિયલ હિન્દી રિમેક છે. જોકે, રિલીઝ પહેલા જ રિતિકની આ ફિલ્મ પણ લોકોની નારાજગીનો શિકાર બની છે. વાસ્તવમાં, ગત દિવસોમાં અભિનેતા રિતિક રોશને આમિર ખાન અને તેની ફિલ્મના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. એટલા માટે જ હવે રિતિકની આ ફિલ્મને પણ બૉયકોટ કરવાની માંગ થઈ રહી છે.
બ્રહ્માસ્ત્ર
અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ આજકાલ તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ઘણી ચર્ચામાં છે. વાસ્તવમાં આ ફિલ્મ દ્વારા રણબીર કપૂર પણ ચાર વર્ષ બાદ મોટા પડદા પર પરત ફરતો જોવા મળશે. તે જ સમયે, આ પ્રથમ વખત હશે જ્યારે રણબીર અને આલિયા એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મને લઈને પણ બહિષ્કારની માંગ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, લોકોનું કહેવું છે કે અભિનેતા આમિર ખાનની ફિલ્મ પીકેમાં રણબીર કપૂર પણ તેની સાથે હતો, જેમાં હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી હતી. એટલા માટે હવે રણબીર કપૂરની બ્રહ્માસ્ત્રને પણ બૉયકોટ કરવાની માંગ થઈ રહી છે.
દોબારા
અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ દોબારા આજે અચાનક જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ તેના બહિષ્કારની માંગને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. પરંતુ હવે તમારા મનમાં આ સવાલ તો આવતો જ હશે કે તાપસીનું આમિર અને તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા સાથે શું કનેક્શન છે. જ્યારે ભૂતકાળમાં અભિનેત્રીને લાલ સિંહ ચઢ્ઢાને લઈને જવાબ પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેણે કહ્યું હતું કે જે રીતે અક્ષય અને આમિરની ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, તેથી મારી ફિલ્મનો બહિષ્કાર કરો. એટલા માટે તાપસીની ફિલ્મ દોબારાને પણ બૉયકોટ કરવાની માંગ ઉઠી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh