બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 05:16 PM, 2 November 2023
પ્રકાસના પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે 400 વર્ષ બાદ એક મહાસંયોગ રચાવવા જઈ રહ્યો છે. દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર સાથે અષ્ટ મહાયોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. 400 વર્ષ બાદ શનિ પુષ્ય યોગ અને રવિ પુષ્ય યોગ સાથે અષ્ટ મહાયોગ રચાઈ રહ્યો છે. શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગાધ્યક્ષ ડો. મૃત્યુંજય તિવારીએ કહ્યું કે આ વર્ષે દિવાળી પહેલા 4 નવેમ્બર શનિવારે પુષ્ય નક્ષત્ર સવારે 7 વાગ્યે 57 મિનિટથી શરૂ થશે. જે 5 નવેમ્બર રવિવારે સવારે 10 વાગ્યાને 29 મિનિટ સુધી છે. શનિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી શનિ પુષ્ય યોગ અને રવિવારે હોવાથી રવિ પુષ્ય યોગ બની રહ્યો છે. ત્યારે આ બંને યોગનો સંયોગ થવાથી તમે આ દિવસે ખરીદી અને રોકાણ કરી શકો છો. આ યોગમાં તમે જે પણ કાર્ય કરશો તે કાર્ય શુભ ફળદાયી થશે.
જાણો ક્યારે છે શનિ પુષ્ય યોગ 2023?
આપણા કેલેન્ડર મુજબ 4 નવેમ્બર શનિવારે પુષ્ય યોગ 7-57 મિનિટથી શરૂ થશે.. બીજા દિવસે એટલે કે 5 નવેમ્બર 7-57 સુધી રહેશે.. આ દિવસે તમે ખરીદી અને રોકાણ કરી શકો છો..
ક્યારે છે રવિ પુષ્ય યોગ 2023?
5 નવેમ્બર એટલે કે રવિવારે વહેલી સવારથી લઈને 10 વાગ્યાને 29 મિનિટ સુધી રવિ પુષ્ય યોગ છે. જો તમે રવિવારે ખરીદી કરવા માંગતા હોય તો તમે 10:29 વાગ્યા સુધીમાં ખરીદી કે રોકાણ કરી શકો છો..
શનિ-રવિ પુષ્ય યોગ પર બનનાર અષ્યમહાયોગ ક્યા છે?
શનિ પુષ્ય યોગના દિવસે હર્ષ, સરલ, શંખ, લક્ષ્મી, શશ, સાધ્ય, મિત્ર અને ગજકેસરી જેવા આઠ મહાયોગ બની રહ્યાં છે... 4 નવેમ્બરે શનિ પુષ્ય યોગના દિવસે સાધ્ય યોગ, શુભ યોગ, ત્રિપુષ્કર યોગ અને રવિ યોગ પણ બની રહ્યો છે.
5 નવેમ્બર એટલે કે રવિવારે રવિ પુષ્ય નક્ષત્ર સાથે સર્વાર્થ સિદ્ધિ, શુક્લ, શુભ, વશી, સરલ, શ્રીવત્સ, અમલા અને ગજકેસરી યોગ બની રહ્યો છે.
શનિ-સૂર્ય પુષ્ય યોગમાં શું કરવું જોઈએ?
શનિ-રવિ પુષ્ય યોગમાં તમે સોનું, ચાંદી, આભૂષણો, વાહન, મકાન, કપડા સહિતની ખરીદી તમે કરી શકો છો.. આ સાથે જ તમે પ્રોપર્ટીમાં પણ રોકાણ કરી શકો છો.. આ દિવસે કરવામાં આવેલી ખરીદી શાશ્વત લાભ આપે છે.
જાણો પુષ્ય નક્ષત્ર શુભ કેમ છે?
જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને તમામ નક્ષત્રોનો રાજા ગણવામાં આવે છે.. કારણ કે પુષ્ય નક્ષત્રના દેવતા દુરૂ છે અને સ્વામી શનિ છે.. ગુરૂ ધન લાવે, શનિ સ્થિરતા લાવે છે.. જેથી આ બંનેની હાજરી ખુબ જ શુભ માનવામાં આવે છે.. પુષ્ય નક્ષત્ર યોગમાં તમે જે પણ કાર્ય કરો છો તેનું શુભ અને કાયમી પરિણામ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh