બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / ADR report 33 percent of Rajya Sabha MPs have criminal cases against them, 2 of them accused of murder
Megha
Last Updated: 10:06 AM, 2 March 2024
સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાના 225 સભ્યોમાંથી 33 ટકાએ તેમની સામે ફોજદારી કેસ હોવાની માહિતી આપી છે, જ્યારે આ વર્તમાન સાંસદોની કુલ સંપત્તિ 19,602 કરોડ રૂપિયા છે. ચૂંટણી અધિકાર સંગઠન ADR અનુસાર, તેમાંથી 31 અથવા 14 ટકા અબજોપતિ છે.
Analysis of Criminal Background, Financial, Education, Gender and Other Details of Sitting Rajya Sabha MPs 2024#ADRReport: https://t.co/dIG7ZBqaQo
— ADR India & MyNeta (@adrspeaks) March 1, 2024
Help us reach our target amount! To donate, click here: https://t.co/lK9cQpq1Ui.#RajyaSabha #IndianElections pic.twitter.com/Ar2dDPzVW7
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ પણ કહ્યું કે આમાંથી 18 ટકા સાંસદોએ ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસના કેસનો સમાવેશ થાય છે. ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં, રાજ્યસભાના બે સભ્યોએ IPCની કલમ 302 હેઠળ હત્યા સંબંધિત કેસ નોંધ્યા છે.
225 વર્તમાન સાંસદોમાંથી 33 ટકા વિરુદ્ધ ફોજદારી કેસ
જ્યારે રાજ્યસભાના ચાર સાંસદોએ આઈપીસીની કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસ સંબંધિત કેસોની જાહેરાત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યસભાના 225 વર્તમાન સાંસદોમાંથી 75 (33 ટકા) વર્તમાન સાંસદોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે અને 40 (18 ટકા) વર્તમાન રાજ્યસભા સાંસદોએ ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે. સાથે જ આ વિશ્લેષણમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો વચ્ચેના આ અપરાધિક કેસોનું પ્રમાણ પણ તપાસવામાં આવ્યું હતું.
Analysis of Income & Expenditure of National Political Parties for FY 2022-23#ADRReport: https://t.co/P8dJIUdT7G#PoliticalParties #PoliticalFunding pic.twitter.com/PCqXZnveZj
— ADR India & MyNeta (@adrspeaks) February 28, 2024
આ મામલે ભાજપ સૌથી આગળ છે, તેના 90 રાજ્યસભા સભ્યોમાંથી 23 ટકા વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. કોંગ્રેસના 28માંથી 50 ટકા સાંસદો સામે આવા કેસ નોંધાયેલા છે. એડીઆરના વિશ્લેષણમાં જણાવાયું છે કે ટીએમસીના 13માંથી પાંચ રાજ્યસભા સભ્યો (38 ટકા), આરજેડીના છમાંથી ચાર (67 ટકા), સીપીઆઈ(એમ)ના પાંચમાંથી ચાર (80 ટકા)એ તેમના સામેના ફોજદારી કેસ જાહેર કર્યા છે.
વધુ વાંચો: લોકસભા ચૂંટણી લડવી હોય તો શું કરવું પડે? જાણો ઉમેદવારી માટે શું છે નિયમો અને પ્રોસેસ
રાજ્યસભાના સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. 87.12 કરોડ
રાજ્યસભાના સભ્યોની સંપત્તિનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. એવું જાણવા મળ્યું હતું કે દરેક સાંસદની સરેરાશ સંપત્તિ 87.12 કરોડ રૂપિયા છે. મુખ્ય પક્ષોમાં 90 માંથી 9 રાજ્યસભા સભ્યો (10 ટકા), કોંગ્રેસ 28 માંથી 4 રાજ્યસભા સભ્યો (14 ટકા), YSRCP 11માંથી 5 (45 ટકા), AAP 2 માંથી રાજ્યસભાના 10 સભ્યોમાંથી (20 ટકા), TRSના 4માંથી 3 રાજ્યસભા સભ્યો (75 ટકા) અને RJDના 6માંથી 2 (33 ટકા) સાંસદોએ 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. સાથ જ રાજ્યસભાના વર્તમાન સભ્યોની કુલ સંપત્તિ 19,602 કરોડ રૂપિયા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh