બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / વિશ્વ / Admirable work of Ukraine in the midst of war! New arrangements made to save Indians, see what was announced
Hiralal
Last Updated: 03:38 PM, 27 February 2022
યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક રાહતભરી ખબર આવી છે. યુક્રેન રેલવેએ રાજધાની કીવમાંથી ઈમરજન્સી ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ઈમરજન્સી ટ્રેન દ્વારા ભારતીયોને પશ્ચિમ વિસ્તારમાં લઈ જવામાં આવશે અને ત્યાંથી તેમને ભારત સરકારની વ્યવસ્થા પ્રમાણે તેમને સ્વદેશ લઈ જવામાં આવશે. યુક્રેન પ્રવાસી ભારતીયોને પશ્ચિમી વિસ્તારોમાં જવાની સલાહ આપી છે.
Indian diaspora is advised to move away from conflict zones to the Western region subject to security situation and the extant regulations. #Ukraine Railways is additionally organising emergency trains at no cost, 1st come basis from Kyiv. Schedule can be found at train stations pic.twitter.com/wPtNqdcyvH
— ANI (@ANI) February 27, 2022
યુક્રેન રેલવેએ ભારતીયો માટે શરુ કરી ઈમરજન્સી રેલવે
યુક્રેન રેલવેની જાહેરાત અનુસાર, રાજધાની કીવથી ઈમરજન્સી ટ્રેન ચલાવવામાં આવશે અને તેમાં બેસીને વિદ્યાર્થીઓ અને ભારતીયો પશ્ચિમી વિસ્તારો સુધી જઈ શકશે. યુક્રેન સરકારે દેશમાં વસતા ભારતીયોને ઈમરજન્સી ટ્રેનમાં બેસીને પશ્ચિમી વિસ્તારો તરફ જતા રહેવાનો નિર્દેશ આપ્યો છે જેથી કરીને તેમને કોઈ હાની ન પહોંચે અને તેઓ સુરક્ષિત રીતે સ્વદેશ તરફ જતા રહે.
યુક્રેન રેલવેની આ નવી વ્યવસ્થાથી ભારતીયોને થશે ખૂબ મોટી રાહત
ઈમરજન્સી ટ્રેન દોડાવવાની યુક્રેન રેલવેની જાહેરાત બાદ ત્યાં વસતા ભારતીયોને ખૂબ મોટી રાહત મળશે અને તેઓ સરળતાથી પશ્ચિમી વિસ્તારો તરફ જઈ શકશે. યુક્રેનના પશ્ચિમી વિસ્તારો હજુ રશિયાની નજરે ચડ્યાં નથી અને ત્યાં બાકીના વિસ્તારો કરતા એકંદરે શાંતિ પ્રવર્તી રહી છે.
જુડો ફેડરેશને પુતિનની હકાલપટ્ટી કરી
યુક્રેન પર હુમલો કરનારા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આંતરરાષ્ટ્રીય જુડો ફેડરેશને માનદ પ્રમુખ પદેથી હકાલપટ્ટી કરી છે.
યુક્રેનના બજારોમાં લૂંટફાટ
રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની યુક્રેન પર ઝડપથી અસર પડી રહી છે. આલમ એ છે કે, ઘણી જગ્યાએ, બજારોમાં લૂંટફાટ થઈ છે. સામાન પૂરો થઈ ગયો. ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે બંકરોમાં પણ બેસવાની જગ્યા નથી.
યુક્રેને વાટાઘાટો માટે નામ સૂચવ્યા
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ બેલારુસમાં વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું છે કે બેલારુસનો ઉપયોગ લોન્ચપેડ તરીકે કરવામાં આવી રહ્યો છે. તેથી, પોલેન્ડ, તુર્કી, હંગેરી, અઝરબૈજાન, સ્લોવેકિયામાં વાટાઘાટો થવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh