બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Adequate sleep essential stay healthy Do you know these 10 things sleep
Ajit Jadeja
Last Updated: 12:04 AM, 12 April 2024
સ્વસ્થ રહેવા માટે આહારની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. પુરતી ઊંઘ લેવામાં ન આવે તો તેની અસર સ્વાસ્થ્ય પર થઇ શકે છે. ઊંઘનું વિજ્ઞાન પોતાનામાં ખૂબ જ રસપ્રદ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં જ ઊંઘના રહસ્યો સામે આવી રહ્યા છે. તો ઘણાને પુરતી ઊંઘ નહી આવતી હોવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. પરંતુ ઊંઘ નહી આવવાનું અથવા ગાઢ નિદ્રા આવવાનું ઠોસ કારણ હજુ સુધી શોધી શકાયું નથી.
ઊંઘ દરમિયાન આપણું મગજ કેવી રીતે કામ કરે છે આપણને સપના શા માટે આવે છે અને તે સપનાનો અર્થ શું છે. આજ સુધી વૈજ્ઞાનિકોએ શોધી શક્યા નથી.આમ છતાં ઊંઘ વિશે ઘણી રસપ્રદ બાબતો સામે આવી છે. આવી જ 10 રસપ્રદ અને મહત્વપૂર્ણ બાબતો જાણવા જેવી છે.
- નિદ્રા લેવાનો સમય: સૂવા માટે નિદ્રા લેવાનો કુદરતી સમય બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે હોવો જોઈએ. જે તમારામાં રચનાત્મકતા વધારે છે. આ સમયે લીધેલી ઊંઘ તમારી ઊર્જાને ઝડપથી રીસ્ટોર કરે છે.
- ઊંઘ માટે સમય કેટલો : તાજેતરમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યુ કે જીન મ્યુટેશનને કારણે જે લોકોમાં DEC2 જનીન હોય છે, તેમના માટે માત્ર ચાર કલાકની ઊંઘ પૂરતી છે. માત્રા આટલી ઊંઘ પછી પણ તેઓ આખો દિવસ ભરપુર ઊર્જા સાથે કામ કરી શકે છે. આવુ દરેક વ્યક્તિમા હોતુ નથી એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આપણે આપણા શરીર અને તેની ઊંઘની પેટર્નને સમજવી જોઈએ.
- મોટે ભાગે આઠ કલાકની ઊંઘ જરૂરી : માત્ર 5 ટકા લોકો જ કુદરતી રીતે ઓછી ઊંઘ લે છે. મોટાભાગના લોકોને દરરોજ આઠ કલાકની ઊંઘની જરૂર હોય છે. પરંતુ આપણામાંના 30 ટકા લોકોને રાત્રે છ કલાકથી ઓછી ઊંઘ મળે છે.
- પરિચિત સુગંધ: જો સૂતી વખતે આસપાસ કોઈ પરિચિત સુગંધ હોય તો આ સમયગાળા દરમિયાન તમારી યાદશક્તિમાં સુધારો થાય છે. કોઈપણ કામ શીખવાની તમારી વૃત્તિ વધુ સારી છે.
- શરીરનો ધ્રુજારી: તે લોકો માટે સામાન્ય છે જેમનું શરીર ગાઢ નિંદ્રા દરમિયાન સતત ધ્રૂજતું હોય અથવા ધક્કો મારતો હોય. આને હિપનિક જર્ક કહેવામાં આવે છે અને તેનાથી કોઈ નુકસાન થતું નથી.
- ડીગેરીડુ સાથે સારી ઉંઘઃ એક અભ્યાસ મુજબ જો ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ ડીગેરીડુ વગાડે તો શ્વાસ લેવાની સ્નાયુઓ મજબૂત બને છે અને આ વગાળવા વાળાને સારી રીતે ઊંઘ આવી જાય છે તેવું કહેવાય છે.
- યાદશક્તિને વ્યવસ્થિત કરવાનો સમય: ઊંઘ અંગેનો એક સિદ્ધાંત એ છે કે ઊંઘ દરમિયાન આપણું મગજ યાદશક્તિને યોગ્ય રીતે ગોઠવે છે. કદાચ ઊંઘ આપણને કડવા અનુભવોનો સામનો કરવામાં પણ મદદ કરે છે.
- ડ્રીમ વિડિયો: કેટલાક નિષ્ણાતોએ તેમના મગજની પ્રવૃત્તિના આધારે લોકો દ્વારા જોયેલા YouTube વીડિયોનું રીકન્સટ્રક્ટ કર્યું. એવું માનવામાં આવે છે કે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક દિવસ આપણા સપનાઓનું પણ પુનર્નિર્માણ થઈ શકે છે.
- ઓછી ઉંઘનો ઉપાયઃ મિલિટરી રિસર્ચ મુજબ જો તમે પહેલાથી થોડી વધારે ઊંઘ લો છો તો પછી ઓછી ઊંઘ તમારા પર વધારે અસર નહીં કરે.
- પુરતી ઊંઘ જરૂરીઃ તમે સતત 12 રાત સુધી 6 કલાકથી ઓછો સમય ઊંઘ લઇ રહ્યા છો. તો તમારામાં ચુસ્તી અને ચેતના તમારા લોહીમાં 0.1 ટકા આલ્કોહોલ હોય એટલી જ હશે. તમારુ સંતુલન ખોરવાયેલુ રહેશે, યાદશક્તિ પણ કમજોર થઇ જશે. સ્પષ્ટ બોલી શકશો નહી. બીજા શબ્દોમાં કહીએ તો તમારુ સ્વાસ્થ્ય લથડી જશે અને નશામાં હોય તેવુ થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ