બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Priyakant
Last Updated: 04:20 PM, 8 January 2024
Priykant Shrimali VTV News : તમે સ્પાઈડરમેન, શક્તિમાન જેવા સુપરહીરોને જોયા હશે. જે મુશ્કેલીમાં પડેલા લોકોને બચાવી લે છે. જોકે આપણે બધા જ જાણીએ છીએ કે તે ફિક્શનલ હીરો છે. પરંતુ અમે તમને એવા હીરોઝને મળાવી રહ્યા છીએ, જે રિયલ લાઈફમાં આપણી આજુબાજુ જ રહીને એવું કામ કરી રહ્યા છે, જેનાથી કોઈના જીવન બચી રહ્યા છે સુધરી રહ્યા છે. આજે વાત એક એવા યુવાનની જેણે પોતાનું જીવન પક્ષીઓને બચાવવામાં સમર્પિત કરી દીધું છે.
મળો વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભીને
ઉત્તરાયણ નજીક છે, અને પક્ષીઓને દોરી વાગવાના કિસ્સા સામે આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર તેમનો જીવ બચાવવામાં ખૂબ અગત્યની બની જાય છે. જો કે, તેના માટે ઘણી મહેનત કરવી પડે છે. હવે વિજય ડાભીને મળો. જેઓ છેલ્લા 10 કરતા વધારે વર્ષથી પક્ષીઓને બચાવી રહ્યા છે. પક્ષી પ્રેમીઓ માટે આ નામ અજાણ્યું નહીં હોય, પરતુ જો તમે ન જાણતા હો, તો જાણવા જેવા વ્યક્તિ છે.
પિતાના પગલે ચાલી રહ્યા છે વિજય
વિજયને પક્ષીઓની સેવાનો વારસો પિતા પાસેથી મળ્યો છે. મૂળ બનાસકાંઠા (હાલ અમદાવાદના રહેવાસી) ના વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભીના પિતા નરેશભાઈ પણ જીવદયા પ્રેમી હતા. તેઓ પશુ-પક્ષીઓનું રેસ્ક્યુ કરીને તેમને સારવાર અપાવતા. પિતાની આ પ્રવૃત્તિ જોઈને વિજયે પણ તેમનો વારસો આગળ ધપાવવાનું નક્કી કર્યું ,અને શરૂઆત થઈ એનિમલ લાઈફ કેર સંસ્થાની. વિજયના કહેવા પ્રમાણે તેઓ 12 વર્ષથી અમદાવાદમાં જીવદયાનું કામ કરી રહ્યા છે. પક્ષીનું રેસ્ક્યૂ કર્યા પછી એને સારવાર મળે એના માટે તેમની પાસે ઈમરજન્સી ડોક્ટર્સની ટીમ સહિત 25 લોકોની ટીમ કામ કરે છે. \ તેમણે કહ્યું કે, અમારી 25 લોકોની ટીમ પતંગ નથી ચગાવતા અને પક્ષીઓનું રેસ્ક્યૂ કરે છે અને પક્ષીઓની સેવા કરે છે.
છેલ્લા 10 કરતા વધુ વર્ષથી નથી ઉજવી ઉત્તરાયણ
વિજય ભાઈ 2010થી ઈજાગ્રસ્ત પક્ષીઓને રેસક્યુ કરે છે, અને અત્યાર સુધીમાં હજારો પક્ષીઓને બચાવી ચૂક્યા છે. તો આપણને સવાલ થાય કે વિજયભાઈને ઉત્તરાયણ નહીં ઉજવવી હોય? અમે પણ તેમને આ જ પૂછ્યું. વિજયભાઈનું કહેવું છે કે,’ પતંગ કે ફીરકીનો શોખ દરેકને હોય પણ પિતાજીના આ સેવાકાર્યને આગળ ધપાવવા માટે થઈ મેં અને અમારી ટીમે છેલ્લા કેટલાય વર્ષોથી પતંગ નથી ચગાવ્યાં પણ એના બદલે પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલ પક્ષીઓને બચાવ્યા છે.’ વિજય ડાભી અને તેમની ટીમે છેલ્લા 10 વર્ષની ઉત્તરાયણનો તહેવાર જ નથી ઉજવ્યો.
એનિમલ લાઇફ કેરના વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભી કરી રહ્યા છે ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર #Uttrayan #VijayDabhi #MakarSankranti #GujaratiNews pic.twitter.com/OqTs8kowxF
— Priykant Journalist (@Priykantnews) January 8, 2024
પક્ષીઓની મદદ માટે ખાસ અભ્યાસ કર્યો
જો કે વિજયભાઈએ ખાલી પક્ષીઓની સેવા શરૂ જ કરી દીધી છે એવું પણ નથી.. પક્ષીઓને પ્રોપર સારવાર મળે તે માટે તેઓ ખાસ કોર્સ પણ કરી ચૂક્યા છે. અબોલ જીવની સારવાર કેવી રીતે થાય ,તે માટે તેમણે ખાસ પ્રોફેશનલ કોર્સ કર્યો છે. જેમાં તેઓ પક્ષીઓના વર્તન અને સ્વભાવ વિશે શીખ્યા છે. સાથે જ પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી, તેની પણ જાણકારી મેળવી છે.
રૅર કેસમાં જોવા મળતા પક્ષીને પણ કર્યું હતું રેસ્ક્યુ
વિજયભાઈ અત્યાર સુધી સમડી, કોયલ, કાગડો, કબૂતર, ઘુવડ, ચામાચીડિયું સહિત વિદેશી પક્ષીઓને પણ રેસ્ક્યુ કરી ચૂક્યા છે. 2016-17માં ગરૂડ વંશનું સરપટ ઈગલ પક્ષી જેને ગુજરાતીમાં ચોટલીયો સાપ માર કહીએ છે, જે રેર છે. આવા અગત્યના પક્ષીને પણ વિજયભાઈ રેસ્ક્યુ કરી ચૂક્યા છે.
આખું વર્ષ ખડે પગે રહે છે ટીમ
વળી, વિજયભાઈની ટીમ માત્ર ઉત્તરાયણ પૂરતી કામ નથી કરતી. આખા વર્ષ દરમિયાન કોઈ પણ પશુ પક્ષીની સારવાર માટે તેમની ટીમ એક્ટિવ હોય છે. પક્ષીઓની સાથે તેઓ શેરીમાં ફરતા શ્વાન, બીમાર પશુને પણ રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર આપે છે. તો સાપ આવી ચડે તેવી સ્થિતિમાં પણ એનિમલ લાઈફ કેર મદદે આવે છે. વિજયભાઈનું સ્વપ્ન છે કે ઈજાગ્રસ્ત, બીમાર પશુ-પક્ષીઓ માટે એક રોટલા ઘર અને એનિમકલ કેર સેન્ટર ઉભુ થાય. આ માટે તેઓ સરકાર પાસેથી મદદની આશા પણ રાખી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir