બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A unique initiative of Engineering and Diploma College Association regarding Talati Exam
Malay
Last Updated: 08:06 AM, 12 April 2023
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા 30 એપ્રિલે યોજાઈ શકે છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે વહીવટી તંત્રએ તલાટીની પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે એન્જીનિયરીંગ અને ડિપ્લોમા કોલેજ એસોસિએશનને તલાટીની પરીક્ષા માટે પોતાની 100 સંસ્થાઓ આપવાની તૈયારી બતાવી છે. આ 100 કેન્દ્રોમાં 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.
એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કોલેજ એસોસિએશનની પહેલ
તલાટીની પરીક્ષા માટે 17 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. આ પરીક્ષા માટે 5000 કરતાં વધુ કેન્દ્રો જરૂર છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં એન્જીનિયરીંગ અને ડિપ્લોમા કોલેજ એસોસિએશન આગળ આવ્યું છે. એસોસિએશને તલાટીની પરીક્ષા માટે પોતાની 100 સંસ્થાઓ આપવાની તૈયારી દર્શાવી છે.
તમામ કોલેજો સીસીટીવી કેમેરાથી સજ્જ
આ 100 કોલેજમાં 50 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી વ્યવસ્થા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ કોલેજોમાં નિયમ અનુસાર સીસીટીવી કેમેરા પણ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ પણ દર્શાવી તૈયારી
આ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષામાં યુનિવર્સિટી કોલેજો આપવા તૈયાર છે. તેમજ સરકારના પરીક્ષા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશા તત્પર હોય છે. ત્યારે તાજેતરમાં યોજાયેલી પરીક્ષાઓમાં પણ કોલેજો અપાઈ હતી.
જો કેન્દ્રો ઉપલબ્ધ થશે તો જ 30 એપ્રિલે યોજાશે પરીક્ષાઃ હસમુખ પટેલ
અત્રે ઉલ્લેખનીય છે કે, તલાટીની પરીક્ષા મામલે GPSSB ચેરમેન હસમુખ પટેલે કહ્યું હતું કે, જો પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ થશે તો જ 30 એપ્રિલે તલાટીની પરીક્ષા યોજવાની જાહેરાત કરીશું. તલાટીની પરીક્ષા માટે સાડા સત્તર લાખ જેટલા ઉમેદવારો છે. જેમના માટે 5 હજાર 700 પરીક્ષા કેન્દ્રોની જરૂર છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 3 હજાર 22 જેટલા જ પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ બન્યા છે. એવામાં અઢી હજારથી વધુ પરીક્ષા કેન્દ્રોની હજુ સગવડતા કરવાની બાકી છે. ત્યારે આ અંગે ફાઈનલ નિર્ણય 3 દિવસમાં લેવાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir