બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A postmortem of the girl's body will be conducted today in Navsari in case of honor killing
Dinesh
Last Updated: 10:35 AM, 26 April 2023
નવસારી ઓનર કિંલિંગ આશંકામાં આજે યુવતીના મૃતદેહનું સુરતની ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ કરશે. યુવતીના મૃત્યુ મામલે જલાલપોર પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. યુવતીના પરિવારે દીકરીના મોતને છુપાવતા શંકાના ઘેરામાં આવ્યા છે જો કે, રિપોર્ટ આવ્યા બાદ નવસારી પોલીસ ગુનો નોંધી શકે છે.
પ્રેમીએ સુરત રેન્જ IGને અરજી કરી
વાત એમ છે કે, બ્રીજેશ પટેલ નામના યુવકને એક યુવતી સાથે પ્રેમ થયો હતો. અને આ યુવતી પ્રેમ સંબંધમાં બ્રીજેશને મળવા આવી હતી. જો કે, બંન્ને વલસાડ મળ્યા પછી યુવતી ઘરે ગઈ ત્યારે એવા સમાચાર આવ્યા કે, બ્રીજેશ જે યુવતીને પ્રેમ કરતો હતો તેણે આપઘાત કરી લીધો છે. જે સમગ્ર ઘટનામાં પ્રેમી બ્રીજેશ પટેલને એવી શંકા છે કે, મારી પ્રેમિકાની હત્યા કરી નાંખી અને તેની લાશને દફનાવી દીધી છે તેવું બ્રીજેશ જણાવી રહ્યો છે. પ્રેમિકા માટે પ્રેમીની સુરત રેન્જ IGને અરજી પણ કરી અને પ્રેમીકાની હત્યા થઈ લાશ દફનાવી નાંખવાનો આક્ષેપ કર્યો છે તેમજ પ્રેમીએ પોલીસને કબ્રસ્તાન પણ બતાવ્યું હતું અને તેવું કહેવું છે કે, તેની પ્રેમિકાની હત્યા કરી લાશને રાતો રાત દફનાવી દેવામાં આવી છે હત્યાને અંજામ આપ્યા બાદ તેનો પરિવાર આપઘાતનું નાટક કરે છે.
યુવતીની હત્યા કે આત્મહત્યા મામલે પોલીસનું નિવેદન
નવસારીની યુવતીની હત્યા કે આત્મહત્યા મામલે જલાલપોર પીઆઈનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, યુવતીના શંકાસ્પદ મોત બાદ તેને દફનાવી હતી અને સુસાઈડ નોટ મુજબ આત્મહત્યા હોવાની વિગતો સામે આવી છે તેમજ પ્રેમી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે તેની તપાસ શરૂ કરી છે. તેમણે ઉમેર્યું કે, યુવતીનું હાલ ફોરેન્સિક પીએમ ચાલી રહ્યું છે અને યુવતીના મામા કલથાણ કબ્રસ્તાનના વહીવટકર્તા હોવાથી ત્યાં દફન કરી હતી તેમજ લાશ પાંચ દિવસની હોય લાશ પરથી ચામડી નીકળી ગઈ છે તેથી લાશની પ્રારંભિક તપાસ કરવી મુશ્કેલ હતી
મૃતદેહનું સુરતની ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ કરશે
અબ્રામા ખાતે કબ્રસ્તાનમાં નવસારીના પ્રાંત અધિકારી પણ પહોંચ્યા હતા તેમજ યુવતીને મારીને દફન કરી દેવાની આશંકાના પગલે તપાસ આદરી હતી, પોલીસે અને વહીવટી તંત્ર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્રે તમને જણાવી દઈએ કે, યુવતીના ઘરેથી સ્યુસાઈડ નોટ મળી છે. બ્રીજેશ પટેલ એવું કહે છે કે, સ્થાનિક લોકોએ મને જણાવ્યું હતું કે, યુવતીએ આપઘાત કર્યો નથી. તેની હત્યા કરી દેવામા આવી છે. બ્રીજેશની માગ છે કે, જો પોલીસ પુરા મામલે તપાસ કરે તો સત્ય સામે આવી શકે છે. હાલ પોલીસ તપાસ આદરી છે અને તેનો મૃતદેહ કબરમાંથી બહાર નીકાળી પીએમ અર્થે ખસેડ્યો છે. યુવતીના મૃતદેહનું સુરતની ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ કરશે
પ્રેમી બ્રીજેશને પુરી શંકા છે કે, તેની પ્રેમિકાની હત્યા કરી દીધી છે. બંન્નેનો ધર્મ અલગ હોવાથી પરિવાર વાળાએ હત્યાને અંજામ આપી દીધો છે. જો પોલીસ ખરા દીલથી તપાસ કરે તો સત્ય સામે આવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh